માંડવી કાર બેકાબુ થતા ઝાડ સાથે ટક્કર થતા એક વ્યક્તિનું નીપજ્યું કરુણ મોત

માંડવી(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર માંડવીમાં ગંભીર અકસ્માત સર્જાયો…

માંડવી(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર માંડવીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. તેવામાં રવિવારે રાત્રિના સમયે માંડવી તાલુકાનાં ગામતળાવ ગામે બુજરંગ રાજપૂત ફળિયામાં રહેતા 6 યુવકો વાઘેચા મહાદેવ મંદિરે જવા માટે નીકળ્યા હતા. ચાલકે રસ્તામાં કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કારની ઝાડ સાથે ગંભીર ટક્કર થઇ હતી. જેમાં 1 યુવકનું મોત થયું હતું. જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, વાઘેચા મંદિરે દર્શન માટે ગામતળાવ ગામના 6 યુવકો અર્ટીકા કાર નં. GJ-19-AF- 2079 માં નીકળ્યા હતા. જયારે તેઓ પૂના ગામની સીમમાં આશ્રમ ફળિયા નજીક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેથી કાર રસ્તાની બાજુના ઝાડ સાથે ટક્કર થઇ હતી.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં દિશેનભાઈ દામોદરભાઈ પટેલ, ફેનિલ અશોકભાઇ પટેલ, અંકિત પ્રકાશભાઈ પટેલને શરીરે નાનીમોટી ઇજાઓ પહોચી હતી. આ અકસ્માતમાં રોશનકુમાર હર્ષદભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેને કારણે તેને બારડોલીની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ પોલીસે આ બનાવ અંગે તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *