ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી ?

Published on Trishul News at 4:17 PM, Tue, 22 October 2019

Last modified on January 9th, 2022 at 9:56 AM

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી ખરીદવાનું કારણ આગળ ધરીને વારંવાર દરમાં વધારો કરવામાં આવે છે. ત્યારે દિલ્હીમાં 200 યુનિટ વીજદર સામે ત્યાંની પ્રજાને એક પણ પૈસો બિલ આવતું નથી, જ્યારે ગુજરાતમાં આટલા યુનિટે પ્રજાને 1418 રૂપિયાનું મોટું બિલ ચૂકવવું પડે છે. આ તફાવત અંગે ખુદ રાજ્યના ઊર્જા પ્રધાને કબુલાત કરી કે રાજ્યમાં દર વધારે છે અને તે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે. તો પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સારા કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ સારા એવો પ્રશ્ન ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં વીજળી પુરવઠો પૂરી પાડતી વિવિધ કંપનીઓ જેવી કે ગુજરાત વિદ્યૂત બોર્ડ, ટોરેન્ટ પાવર લિ. વગેરે દ્વારા વખતો વખત વીજદરમાં ધરખમ વધારો કરવામાં આવે છે. જેના પગલે પ્રજાની કમર ભાંગી જાય છે. આ સંજોગોમાં અગાઉ પણ અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી સરકારે આ વીજદર ઘટાડવા કે માફી કરવાની વિચારણા પણ કરી નથી.

દિલ્હી સરકારે 200 યુનિટ સુધી વીજળીના બિલમાં આપી માફી

પહેલી ઓગસ્ટ 2019ના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વીજળીના બિલમાં માફીની યોજના લાગુ કરી છે. તેમણે દિલ્હીમાં 200 યુનિટ સુધીનું વીજળીનું બિલ માફ કરી દેવી જાહેરાત કરી છે. અને સાથે સાથે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી સસ્તી વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.

કેજરીવાલે 200 યુનિટ સુધી વીજળી બિલ માફ કરી દેવાનું કહ્યું છે, પણ સાથે 201થી 400 યુનિટના વપરાશ કરનારાના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જે વીજદર હોય છે તે એકદમ ઓછા અને લોકોને રાહત આપનારા હોય છે. પણ ગુજરાતના વીજદર અતિશય વધારે હોવાના કારણે લોકોનું બજેટ ખોરવાઈ જાય છે.

સૂત્રોએ કહ્યું કે, દિલ્હીમાં જો કોઈ 200 યુનિટ વીજ વપરાશ કરે તો તેને કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ ત્યારબાદ જેટલો વપરાશ કરે તેના યુનિટ દીઠ જે ભાવ નિયત કરાયો હોય તે પ્રમાણે જ બિલ ચૂકવવાનું હોય છે. જ્યારે ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે. અહીં વીજ વપરાશ કરનારને એક પણ યુનિટની માફી નથી આપવામાં આવતી. ઉલ્ટાનું 200 યુનિટથી વધારે વપરાશ હોય તો ત્યારબાદના વીજ યુનિટ પર વધારે ચાર્જ આપવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી ?"

Leave a comment

Your email address will not be published.


*