લ્યો બોલો, ભગવાન રામને 22 કરોડનું દાન આપવાના નામે 15000 દાનવીરો છેતરી ગયા- જાણો શુ છે ઘટના

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 5000 હજાર કરોડનું દાન ભેગું કરવામાં આવ્યું હતું.…

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 5000 હજાર કરોડનું દાન ભેગું કરવામાં આવ્યું હતું. જોકે ટ્રસ્ટ દ્વારા ફાઈનલ આંકડો આવ્યો નથી. રામ મંદિર માટે લોકોએ ચેક દ્વારા પણ પોતાની સેવા આપી હતી અને હાલ 15 હજાર જેટલા ચેક બાઉન્સ થયા છે અને આ 15 હજાર ચેકની રકમ નાની મોટી નહિ પંરતુ 22 કરોડ રૂપિયા છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા રચાયેલ એક ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, દાતાઓના ખાતામાં નાણાંની અછત અથવા તકનીકી ખામીના કારણે 15 હજાર જેટલા ચેક બાઉન્સ થયા છે.

ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવતા કહ્યું હતું કે, “બેંકો તકનીકી ભૂલોને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને અમે ભક્તોને ફરીથી દાન આપવા કહી રહ્યા છીએ. ચકાસણીમાં આશરે હજારો ચેક બરામત્ત થયા હતા જે ચેક બાઉન્સ થઇ ગયા હતા. બાઉન્સ થયેલા આ ચેકની રકમ 22 કરોડ જેટલી સામે આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા 15 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી રામ મંદિર નિર્માણ માટે ભક્તો પાસેથી દાન ભેગું કર્યું હતું અને આશરે 5000 કરોડ જેટલું દાન ભેગું થયું હતું. પરંતુ અહિયાં પણ ટ્રસ્ટ દ્વારા કોઈ નિર્ધારિત આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. ટ્રસ્ટ બાઉન્સ થયેલા ચેકના માલિકો પાસેથી ફરીએકવાર દાન કરવા માટે કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *