જેલમાંથી ફરાર થવાં માટે એકસાથે 16 કેદીઓએ મળીને મહિલા ઓફિસર સાથે કર્યું એવું કે…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સોમવારની મોડી રાત્રે ફિલ્મી ઢબે જોધપુર જિલ્લામાં આવેલ ફલોદી વિસ્તારની જેલમાંથી 16 કેદી ફરાર થઈ ગયા હતાં. રાત્રિ ભોજન…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સોમવારની મોડી રાત્રે ફિલ્મી ઢબે જોધપુર જિલ્લામાં આવેલ ફલોદી વિસ્તારની જેલમાંથી 16 કેદી ફરાર થઈ ગયા હતાં. રાત્રિ ભોજન દરમિયાન ભેગા થયેલ કેદીઓએ મહિલા ગાર્ડની આંખોમાં મરચા તથા શાકભાજી ફેંકીને ફરાર થઈ ગયા હતાં.

ઘટનાની જાણ થતાની સાથે જ સમગ્ર પંથકની નાકાબંધી કરી લેવામાં આવી હોવા છતાં ફરાર થઈ ગયેલ કેદીઓ હજુ સુધી પકડાયા નથી. ફરાર થયેલા મોટા ભાગના કેદીઓ NDPSની અનેકવિધ જોગવાઇઓ અંતર્ગત જેલમાં બંધ કરવામાં આવ્યા હતાં.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, યોજનાબદ્ધ રીતે કેદીઓએ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને લઇ જવા માટે જેલની બહાર વાહનો તૈયાર રાખવામાં આવ્યા હોવાની પણ આશંકા રહેલી છે. પોલીસ દ્વારા ફરાર થયેલ કેદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ફરાર થયેલ કેદીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ફરાર થયેલ કેદીઓમાં જગદીશ, પ્રેમ, અનિલ, મોહન રામ, શ્રવણ, મુકેશ તથા શિવપ્રતાપને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે સુખદેવ, શૌકત અલી તથા અશોકને 302 અંતર્ગત એટલે કે, હત્યાના કેસમાં જેલમાં બંધ હતાં.

પ્રદીપ હત્યાના પ્રયાસનો આરોપી હતો. સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રશ્રો ઉઠાવ્યા છે. આમ, આ કેદીઓની હજી સુધી કોઈ જાણ થઈ નથી. જે એક ખુબ ગંભીર બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *