…તો હીરાના કારખાના બે મહિનાનું વેકેશન રાખશે.

Published on Trishul News at 5:17 PM, Sat, 20 July 2019
commercial illustrator

Last modified on July 20th, 2019 at 5:17 PM

દેશમાં સૌથી વધુ રોજગારી પુરી પાડતા, દેશને સૌથી વધુ હુંડિયામણ રળી આપતા  અને જેમને કારણે વિશ્વભરમાં હીરાઉદ્યોગની ઝાકઝમાળ છે તેવા રત્નકલાકારો પર ઉદ્યોગની મંદીને કારણે માઠી અસર પડી રહી છે.રોજબરોજ ડાયમંડ કંપનીઓમાંથી રત્નકલાકારોને છુટા કરવાના સમાચાર આવી રહ્યા છે.

સુરતમાં કેટલાીક ડાયમંડ કંપનીઓએ એવા બોર્ડ મારી દીધા છે કે હાલ તૈયાર હીરા વેચાતા નથી અને જો આગળ પણ તૈયાર હીરાનું વેચાણ ન થાય તો 2થી 3 મહિનાનું વેકેશન પાડવાની નોબત ઉભી થશે. આવા સંજોગોમાં રત્નકલાકારોએ પોતાના પૈસા બચાવીને રાખવા જેથી પરિવારનું ગુજરાન થઇ શકે.

સામાન્ય રીતે ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીમાં દિવાળીના બે ત્રણ દિવસ પહેલા વેકેશન જાહેર થતું હોય છે પમ કદાચ આ વખતે પરિસ્થિત જુદી હોય શકે એવું અત્યારથી લાગી રહ્યું છે.મંદીને કારણે ડાયમંડ કંપનીઓ લાંબુ વેકેશન રાખી શકે છે.,  સુરતની એક ડાયમંડ કંપનીના માલિકે કહ્યું હતું કે ‘અત્યારે સુરતમાં ધંધો ૪૦ ટકા જેટલો થઈ ગયો છે. આટલો તો કંપનીનો ખર્ચો હોય એટલે નવું ભારણ ન આવે એ માટે રજા માગે તેને  રજા આપી દઇએ છીએ.

મંદી આવે અને જાય અને એમાં મોટી વાત નથી, પણ આ વખતે મંદીને હકારાત્મક રીતે લેવાનું કામ બધાએ કર્યું છે. રજા પણ સામેથી આપવાની અને સલાહ પણ આપવાની કે ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન રાખજો, જેથી ઇમર્જન્સી આવે ત્યારે વાંધો ન આવે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "…તો હીરાના કારખાના બે મહિનાનું વેકેશન રાખશે."

Leave a comment

Your email address will not be published.


*