2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયો

Published on Trishul News at 11:43 AM, Sat, 27 July 2019

Last modified on July 27th, 2019 at 11:43 AM

વર્ષ 2002 માં ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય આરોપી યાસીન બટને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ લાવવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીને એરપોર્ટથી લાવવામાં આવ્યો હતો.

વર્ષ 2002 માં ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય આરોપી યાસીન બટને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગુજરાત વિરોધી આતંકવાદ ટુકડી (એટીએસ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ લાવવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીને એરપોર્ટથી લાવવામાં આવ્યો હતો.

ગુજરાત પોલીસ તમામ આરોપી આતંકવાદીઓને પકડવા કટિબદ્ધ છે. એટીએસ ત્રણ વર્ષથી હુમલાના મુખ્ય કાવતરાખોર યાસીનને શોધી રહ્યો છે.

એરપોર્ટ પર એટીએસ અને ચેતક કમાન્ડો તૈનાત કરાયા હતા. ત્રણ એસીપી અને બે પોલીસ નિરીક્ષકોની ટીમ ખાસ વિમાનમાં બટ્ટ સાથે આવી હતી.એટીએસ આજે બટને રાખશે અને તેને શનિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં સોંપશે. યાસીન બટ્ટને આતંકવાદી ચાંદખાન તરીકે ઓળખાતા આતંકવાદીએ અક્ષરધામ પર હુમલો કરવા માટે હથિયારો અને બોમ્બ સપ્લાય કર્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યના આ જાબાઝ એ.ટી.એસ.ના અધિકારીઓને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમની કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદને નાથવા માટે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું હતું. જેના પરિણામે આજે ગુજરાત પર કોઇ ઉંચી આંખ કરીને જોઇ શકતું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ અને સમય સૂચકતાના પરીણામે કેન્દ્રિય સહાય મળી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બચાવ ઓપરેશન હાથ ધરાયું અને મોટી જાનહાની રોકી શકાઇ હતી. આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો છે જેના પરીણામે આ સફળતા મળી છે.

જાડેજાએ સમગ્ર કેસની ટૂંકી વિગતો આપતા કહ્યું કે તા. ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. આ હુમલામાં, એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ.આર.પી.ના જવાનો સહિત કુલ ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ ૮૬ જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા.

આ યાસીન ભાટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો.

યાસીન ભાટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ.

ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવેલ. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપેલ. વર્ષ 2003 માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Be the first to comment on "2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયો"

Leave a comment

Your email address will not be published.


*