ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય

Published on Trishul News at 6:38 PM, Thu, 29 July 2021

Last modified on July 29th, 2021 at 6:38 PM

સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા છે. જેથી આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. શહીદ થયેલા જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ વીરજવાનની અંતિમ યાત્રા સમયે આખું લીલાપુર ગામ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હતું. ગામના લોકો અને તેમના પરિવારજનોએ ‘શહીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અંતિમ વિદાય આપી હતી.

સુરેન્દ્રનગરના લીલાપુર ગામના વતની અને છેલ્લા ચાર વર્ષોથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા કુલદીપ થડોદા નામના નેવીના જવાન હાલમાં INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા. ઘટના એવી બની હતી કે, 28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી ગયો હતો અને તેમનો પગ એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. જવાનની તાત્કાલિક સારવાર માટે રાજકોટ શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પીટલમાં સારવાર દરમિયાન કુલદીપે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ વીર જવાનના પાર્થિવ દેહને તેમના વતન સુરેન્દ્રનગરના લીલાપુર લઇ જવામાં આવ્યો હતો. આજે રોજ સવારે તેમના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા કાઢવામાં આવી હતી. શહીદ વીર જવાનને અંતિમ વિદાય આપવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કુલદીપ થડોદા વીર જવાનને અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી પણ આપવામાં આવી હતી. શહીદ વીર જવાનના દિવ્ય દેહને અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કુલદીપભાઈના બહેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શહીદ વીર જવાન કુલદીપ થડોદા તેમના પરિવારનો એકનો એક પુત્ર હતો. જે શહીદ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સાથે સાથે આવતા જ મહીને રક્ષાબંધનનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે દરેક બહેનને પોતાના ભાઈને રાખડી બાંધવાની હોય છે. ત્યારે રક્ષાબંધન આવે તે પહેલા જ મેઘાબહેનના એકના એક ભાઈ શહીદ થઇ જતા પરીવારમાં આક્રંદ છવાય ગયું હતું અને અંતિમ સંસ્કાર કરતા સૌ લોકોની આંખોમાંથી અશ્રુ શ્રી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય"

Leave a comment

Your email address will not be published.


*