ગારીયાધારના વાવડી ગામે તળાવમાં નાહવા પડેલા ચાર તરુણોના કરુણ મોત- જાણો સમગ્ર ઘટના

આજકાલ એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડે છે અને ડૂબી જ્તાદાર્દ્નક મોત મળે છે. હાલમાં ફરીવાર એવી…

આજકાલ એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડે છે અને ડૂબી જ્તાદાર્દ્નક મોત મળે છે. હાલમાં ફરીવાર એવી જ એક ઘટના ગારીયાધારના મોટી વાવડીમાંથી સામે આવી છે. જેમાં જયેશ, મોન્ટુ, તરૂણ અને મીત નામના ચાર તરુણો ગામના પાદરમાં આવેલા તળાવમાં નાહવા ગયા હતા. પરંતુ, પાણી ઊંડું હોવાથી નાહવા પડેલા ચારેય તરુણો ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવવા માટે ભારે કોશિશ કરવા છતાં દરેક પ્રયાદ નિષ્ફળ નીવડ્યા હતા. આખરે ચારેય તરુણોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા જયેશ ભુપતભાઈ કાકડીયા, મોન્ટુ હિંમતભાઈ ભેંડા, તરૂણ શંભુભાઈ ખોખર અને મીત શંભુભાઈ ખોખર સહિત ચારેય મિત્રો ગામના પાદરમાં આવેલ તળાવમાં નહાવા માટે ગયા હતા. જ્યાં તળાવમાં ડૂબી જતાં ચારેય તરુણોના મોત નિપજ્યા હતા. આ ચારેય તરુણોના ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મોટી વાવડી ગામના તરુણો પાદરમાં આવેલા તળાવમાં નહાવા ગયેલા જે તરુણો મોડી સાંજ સુધી ઘરે પરત નહિ ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં શોધખોળ દરમિયાન તળાવના કાંઠેથી તરુણોના ચપ્પલ, સાયકલ અને કપડાં સહિતની વસ્તુઓ મળી આવતા તરુણો તળાવના પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા ઊભી થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ ચારેય તરુણોને શોધવા પરિવારના લોકોએ ગ્રામજનો અને તરવૈયાઓની મદદથી તળાવમાં શોધ કરવામાં અવી હતી. આ દરમિયાન મોડી રાત્રે ચારેય તરુણોના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. આ તમામ મૃતક તરુણોમાંથી મીત ખોખર અને તરૂણ ખોખર બંને સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ ચારેય જણા ગારિયાધારની સરકારી શાળામાં સાથે અભ્યાસ કરતા હતા.

જાણવા મળ્યું છે કે, ગારિયાધારના મોટી વાવડી ગામે આવેલ આ તળાવમાં થોડા દિવસો પહેલા જ સૌની યોજના અંતર્ગત તળાવ ભરવામાં આવ્યું હતું. જેથી આ તરુણોને પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રહેતા ચારેય તરુણો પાણીમાં ડૂબી ગયા હતા. તરુણો ડૂબી જવાની જાણ થતા ગારિયાધાર મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ચારેય તરુણોના મૃતદેહને ગારિયાધારના સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર ઘટનાને લઈને ગારિયાધાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *