ગુજરાતમાં આ સ્થળે લક્ઝરી બસ પલટી મારતા સર્જાયો ભારે અકસ્માત. એક સાથે 50 લોકો…

ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા ભારે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સાથે 50 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક ગામના…

ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા ભારે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સાથે 50 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક ગામના લોકોએ અને રાહદારીઓએ તમામ પેસેન્જરોને બહાર કાઢ્યા હતા. અને ગામના લોકોએ આ ઘટનામાં ઘાયલ થયેલા દરેક લોકોને નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.

મળેલી માહિતી અનુસાર હવે તો બનાસકાંઠામાં અંબાજીએ અકસ્માતનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના અંબાજી તરફ જતા કે, અંબાજીથી આવતા માર્ગ પર કેટલાક વાહનોને અનેક અકસ્માત નડે છે. જેમાં કેટલાક વાહન ચાલકોને મોત પણ નીપજે છે, ત્યારે અંબાજી માર્ગ પર વધુ એક બસને અકસ્માત નડ્યો છે. સદનશીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને વધુ નુકશાન થયું નથી.

આ ઘટનામાં લક્ઝરી બસમાં કેટલા સીનીયર સિટીજન અંબાજીમાં માતાજીના દર્શન કરીને દાંતાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, તે સમયે આંબાઘાટ નજીક આ બસ પલટી મારી ગઈ હતી. ઘટના બની હતી. તે સમયે બસમાં 65 જેટલા મુસાફરો સવાર હતા. બસ પલટી મારવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.

સ્થાનિક લોકોએ સમગ્ર મામલે પોલીસ અને 108ની ટીમને જાણ કરતા તેઓ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘાયલ થયેલા લોકોને 108ની મદદથી સતલાસણ અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર 65 લોકોમાંથી 20 લોકોની હાલત ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જે સમયે અકસ્માત થયો હતો. તે સમયે સામેથી કોઈ પણ વાહન ન આવતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અંબાજીના રસ્તા પર વાહન ચાલકોને રસ્તાનું જે માર્ગદશન મળવું જોઈએ તે મળતું નથી એટલા માટે ક્યાંકને ક્યાંક રોડ સેફટીના અભાવના લઇને પણ અંબાજી માર્ગ પર અકસ્માતની સંખ્યાઓમાં વધારો થતો જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *