પેટ્રોલ ભરેલા ટેન્કર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ભભૂકી ઉઠી ભીષણ આગ, 6 લોકોની જિંદગી હોમાઈ ‘ઓમ શાંતિ’

મહારાષ્ટ્ર(Maharashtra)ના ચંદ્રપુર(Chandrapur)માં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું છે કે, અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા…

મહારાષ્ટ્ર(Maharashtra)ના ચંદ્રપુર(Chandrapur)માં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું છે કે, અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક(Truck) અને પેટ્રોલ ટેન્કર(Petrol tanker) વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનોમાં આગ લાગી હતી અને આગને કારણે 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના પણ મોત નિપજ્યા હતા.

જાણવા મળ્યું છે કે, મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આ ભયાનક અકસ્માત બાદ ચંદ્રપુર શહેર તરફ જતો રસ્તો કલાકો સુધી બંધ રાખવામાં આવ્યો હતો. જેને લઈને હાઇવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત, આગની જ્વાળાઓએ નજીકના જંગલને ચપેટમાં લઇ લીધું હતું.

ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, શહેરના મુખ્ય માર્ગ પર અજયપુર ગામ નજીક પેટ્રોલ ટેન્કર અને ટ્રક સામસામે અથડાયા હતા. ટ્રકનું ટાયર ફાટ્યા બાદ તે સામેથી આવતા ટેન્કર સાથે અથડાતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના બાદ ફેલાઈ ગયેલા પેટ્રોલના કારણે આસપાસના અનેક વૃક્ષો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સવારે 10 વાગ્યા સુધી જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, ચંદ્રપુરથી ફાયર બ્રિગેડની એક ડઝન ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં લાકડા રાખવામાં આવ્યા હતા. જેથી એવું માનવામાં આવે છે કે, પેટ્રોલ અને લાકડા હોવાને કારણે આ ભયાનક આગ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *