હાલ ગુજરાતમાં કોરોનાનો સાથે સાથે મેઘરાજાએ પણ દસ્તક દીધી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ તેની કહેર મચાવી દીધી છે. જેના કારણે ઘણા સ્થળોએ પાણી ભરાણા હતા. અને લોકોને ખુબ અગવડતા પડી હતી. થોડા દિવસ પહેલા અમદાવાદમાં ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થતિ સર્જાઈ હતી. અને ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અને ઘણાને નુકશાન પણ થયું હતું.
અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ સર્જાયેલ બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો બગસરા હામાપુર ગામે ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં હતા. બે દિવસ પહેલા જ અમરેલીના બગસરાના હામાપુર ગામે બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાય ગયા હતા. આ કરૂણ ઘટનામાં 4 લોકોના મોત થઇ ગયા છે જ્યારે 3 લોકોનો બચાવ થયો છે. આ બનાવમાં એક બળદનું પણ મોત મીપજ્યું છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.
પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલા લોકોની લાશો ખીજડિયા ગામ નજીકથી મળી આવી છે. વાડીએથી ગાડામાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ કરૂણ ઘટના બની છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ દોડી આવી હતી અને ચારેયના મૃતદેહ ખીજડીયા ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
Be the first to comment on "ભારે વરસાદના કારણે નદીમાં પુર સર્જાતા બળદગાડા સહીત 7 લોકો પાણીમાં તણાયા- બળદ સાથે 4ના મોત"