ગુજરાતના 1 કરોડથી વધુ લોકો જે નદીનું પાણી પીવે છે તેના 8 સેમ્પલ લેવાયા, બધામાં કોરોના પોઝિટિવ

Published on Trishul News at 11:17 AM, Fri, 18 June 2021

Last modified on June 18th, 2021 at 11:17 AM

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

હાલમાં અમદાવાદ શહેરથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. સાબરમતી નદીમાંથી લેવામાં આવેલ સેમ્પલો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જે એક ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં ગંગામાં તરી રહેલા મૃતદેહને કારણે લાગતું હતું કે નદીને કારણે કોરોનાનું સંક્રમણ વધશે.

IIT ગાંધીનગર સાથે અન્ય 8 સંસ્થાઓએ ગયા વર્ષે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી લેવામાં આવેલા નમુનાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તમામ નમૂનામાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની ચંડોળા અને કાંકરિયા તળાવ માંથી લેવામાં આવેલા નમૂનામાં પણ કોરોના વાયરસ મળી આવ્યા છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પાણીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો એટલે એટલું તો સ્પષ્ટ કહી શક્ય છે કે કોરોના વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે. જેથી દેશના તમામ પ્રાકૃતિક જળસ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે.

મળતી માહિતી અનુસાર, સપ્ટેમ્બર મહિનાથી 29 ડીસેમ્બર સુધી દરેક સપ્તાહમાં લેવામાં આવેલ નમૂનાની તપાસ બાદ તેમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. જેમાં સાબરમતીમાં 694, કાંકરીયા તળાવમાંથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલો કોરોના સંક્રમિત જણાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુજરાતના 1 કરોડથી વધુ લોકો જે નદીનું પાણી પીવે છે તેના 8 સેમ્પલ લેવાયા, બધામાં કોરોના પોઝિટિવ"

Leave a comment

Your email address will not be published.


*