સુરતમાં તંત્રની નિંદનીય કામગીરીએ માસુમનો ભોગ લીધો: વાવાઝોડામાં તૂટી પડેલા વીજતાર ઊપર પગ પડતા 6 ‌‌‌વર્ષની બાળાનું મોત

તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી  મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો થયો…

તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી  મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, કેટલાક ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કેટલાક મોત કરંટ લાગવાથી થયા છે. વાવાઝોડાથી ગુજરાતમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. વીજ પોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ઉમરપાડા તાલુકાના શરદા ગામે તૌકતે વાવાઝોડા દરમિયાન ખેતરમાં તૂટી પડેલા જીવંત વીજ વાયર પર છ વર્ષની બાળકીનો પગ પડતાં વીજ કરંટ લાગવાથી બાળકીનું સ્થળ ઉપર મોત નિપજયું હતું.

મૃતક બાળકીના પિતા દિલીપભાઈ વસાવાએ જણાવ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી શરદા ગામમાં ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરીએ છીએ. બપોરે ફુંકાયેલા વાવાઝોડા દરમિયાન શરદા ગામની સીમમાં વીજ લાઈન ઉપર તોતિંગ વૃક્ષ પડતા વીજ વાયરો નીચે પડી ગયા હતા. વાવાઝોડાના કારણે નીચે પડી ગયેલા જીવંત વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ જ રહ્યો હતો.

વાવાઝોડાના કારણે નીચે પડી ગયેલા વીજ વાયરમાં વીજ પ્રવાહ બંધ કરવાની જવાબદારી તંત્રની હોવા છતાં કરવામાં આવી ન હતી. તંત્રની બેદરકારીના કારણે સુરતમાં એક માસુમ બાળકીએ પોતાનો ભોગ આપવો પડ્યો. શરદા ગામે ખેતરમાં જ ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા (ઉંમર વર્ષ 6) રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજતાર પર પડી જતાં કરંટ લાગવાથી કિંજલનું મોત નિપજયું હતું.

આ ઘટનાની જાણ તેના માતાપિતા અને પરિવારજનો ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ખેડામાં 2 ના મોત જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ, આ ઉપરાંત, અમદાવાદમાં 5 મોત જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત, આ ઉપરાંત, આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી મોત, આ ઉપરાંત, અમરેલીમાં 15 મોત જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા, આ ઉપરાંત, ગીર સોમનાથમાં 8  મોત જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4 અને છત પડવાથી 1 મોત થયા, આ ઉપરાંત, ભાવનગરમાં 8 મોત જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે.

આ ઉપરાંત, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, આ ઉપરાંત, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, આ ઉપરાંત, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, આ ઉપરાંત, વડોદરામાં 1 મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી), સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી મોત થયા છે.

આ ઉપરાંત વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *