માર્ગ અક્સ્માતમાં આર્મી જવાનનું દુઃખદ મોત, રખડતા ઢોરના કારણે સર્જાયો અક્સ્માત ‘ઓમ શાંતિ’

બનાસકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોર(Stray cattle)ને કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે…

બનાસકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોર(Stray cattle)ને કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે ફરીવાર બનાસકાંઠા(Banaskantha)માં એક આર્મી જવાને(Army) જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત(Accident)માં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. બીજી બાજુ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠવા પામી છે.

મળતી માહિતી મુજબ, આસામ ખાતે ફરજ બજાવી રહેલ જવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટ લઈને પોતાના વતન પરત આવી રહ્યો હતો. આ દરમિયાન, રાત્રે એક આખલો રોડ પર આવી જતાં આ જવાનને અકસ્માત નડ્યો હતો. જેથી અકસ્માતમાં આર્મી જવાનનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, કાંકરેજના અરકુંવાડા નજીક એક આખલો રસ્તા પર આવી ચડ્યો હતો. આ દરમિયાન, દિયોદરના વડિયા ગામના અરમરભાઈ માળી બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર પટકાઈ ગયા હતા.

અમરતભાઈ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આખલો વચ્ચે આવી જતાં તેઓ નીચે પટકાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં એક જવાનનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત, પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પુત્ર ઘરે આવતો હોવાના કારણે પરિવારમાં ખુશીઓનો માહોલ હતો જેની પર પળવારમાં માતમ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *