દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન? જાણો PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું

દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાવાયરસ ચેપમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે.…

દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાવાયરસ ચેપમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક ખબર વાયરલ થઈ છે.

બીજી તરફ, ભારત સંપૂર્ણ લોકડાઉનમાં (India Complete Lockdown) ફરી ચર્ચાએ જોર પકડ્યું છે. દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોમાં સંપૂર્ણ લોકડાઉન અંગેની ચર્ચા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર થવા લાગી છે. 3 મેથી 20 મેની વચ્ચે, આખા લોકડાઉન વિશે ઘણા પ્રકારના સંદેશા વાયરલ થઈ રહ્યા છે.

3 અને 20 મેની વચ્ચે સંપૂર્ણ લોકડાઉનનો દાવો
સોશિયલ મીડિયા પર મોરફેડ ફોટામાં, પીએમ મોદીના ફોટા સાથેના સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, લોકડાઉન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. દેશમાં સમગ્ર લોકડાઉન 3 મેથી 20 મે દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દેશના દરેક રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા સહમત થયા છે. સમગ્ર લોકડાઉન 3 મેથી 20 મે દરમિયાન દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે.

જાણો શું છે સત્ય?
ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થતાં આ દાવા પાછળની સત્ય જાણવાની કોશિશ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ફેક્ટ ચેકિંગ એજન્સી પીઆઈબી ફેક્ટ ચેક ટીમ (PIBFactCheck) એ ફરીથી સંપૂર્ણ લોકડાઉન થયાના સમાચાર પર ધ્યાન આપ્યું હતું. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તેના દાવાની પાછળની આખી સત્યતા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે એક ટ્વીટમાં લખ્યું છે- ‘સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે 3 મેથી 20 મે સુધી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. પીઆઈબીફેક્ટચેકે જણાવ્યું છે કે, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

જાણો પીએમ મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે, 20 એપ્રિલે દેશના નામે પીએમ મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે સરકાર લોકડાઉન કરવાનો ઇરાદો નથી. પીએમ મોદીએ કહ્યું કે આજની પરિસ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવું પડશે. હું રાજ્યોને છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ કરવા વિનંતી પણ કરીશ. લોકડાઉન ટાળવા માટે સખત પ્રયત્ન કરવો પડશે.

અત્રે ઉલેખનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર +918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail. com પર મેઈલ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *