સુરતના ઉધના પોલીસ સ્ટેશનનના મહિલા PSI એ સર્વિસ રિવોલ્વરથી કરી લીધો આપઘાત

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ અનિતા જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કર્યો…

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ અનિતા જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કર્યો છે. સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને આપઘાત કરી લીધો છે. મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ અનિતા જોશી ઈન્વેસ્ટીગેશન ચાર્માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. ફાલસાવાડી ખાતે રહેતા હતાં. પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ મહેકમામાં ચકચાર મચી ગઈ છે.

મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *