ચાર દિવસ બાદ લગ્ન હતા ને, યુવકે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- જાણો ગુજરાતમાં ક્યા બની આ દુઃખદ ઘટના

જામનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર(Jamnagar) જીલ્લાના જામજોધપુર(Jamjodhpur) તાલુકા મથકે વીજ કંપની(Power company)માં નોકરી…

જામનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર(Jamnagar) જીલ્લાના જામજોધપુર(Jamjodhpur) તાલુકા મથકે વીજ કંપની(Power company)માં નોકરી કરતા એક યુવાને ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ કેશોદ(Keshod) તાલુકાના મઢડા ગામ(Madhda village)ના યુવાનના ચાર દિવસ બાદ લગ્ન નિર્ધાર્યા હોવાનું જાણવા મળ્યું છે. એસટીમાં ચાલક તરીકે નોકરી કરતા પિતાના એકના એક પુત્રના અવિચારી પગલા બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે રામવાડી વિસ્તારમાં રહેતા અને સમાણા ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા કલ્પેશભાઇ દેવાયતભાઇ પીઠીયા ઉ.વ.24 નામના યુવાને ગઈકાલે પોતાના રૂમ પર કોઇ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે હરેશભાઇ લખમણભાઇ પીઠીયાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં કોઈ પણ કારણસર યુવાને આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું છે.

જાણવા મળ્યું છે કે, મૃતકના પિતા એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. આ ઉપરાંત, એક માત્ર પુત્રના ચાર દિવસ બાદ લગ્ન નિર્ધાર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક પાંચ મહિના પહેલ જ પીજીવીસીએલમાં નોકરીએ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *