આમ આદમી પાર્ટીને લઈને હાર્દિક પટેલે BJPને એવી વાત કહી દીધી કે, ગરમાયું ગુજરાતનું રાજકારણ

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવી છે.…

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવી છે. હાર્દિકે કહ્યુ છે કે વાસ્તવમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર તે મતદારોને વહેંચવા માટે આવી રહી છે જે ભાજપથી નારાજ છે. તેમણે સીધા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણના આક્ષેપો કર્યા છે.

આમ આદમી પાર્ટી અંગે હાર્દિક પટેલે જણાવતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપને કોઈ મદદ કરી રહ્યું છે અને આ મદદ કદાચ દિલ્હીથી જ આવી રહી છે. તમે જ જુઓ કે આ લોકોને ગુજરાતમાં પ્રચાર કરવાની આઝાદી કેટલી મળી છે અને તેઓ અહીં કેટલા પૈસા ખર્ચી રહ્યા છે. તેમના બેનર અઠવાડિયા સુધી જાહેર સ્થળોએ રહે છે, પરંતુ જો કોઈ અન્ય કરે તો તે તરત જ દુર કરી દેવામાં આવે છે.

હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લી ત્રણ ચૂંટણીઓથી ભારતીય જનતા પાર્ટી તમામ નવા પક્ષોને અહીં ચૂંટણીમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે. ભાજપની નજીકના લોકો તમામ સ્વતંત્ર સંગઠનો બનાવીને ચૂંટણીમાં આવે છે, જેને કારણે ભાજપ વિરોધી મત વિભાજિત થાય.

મીડિયામાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક જુથવાદના અહેવાલોને ખોટા ગણાવતા હાર્દિક પટેલે કહ્યું કે, તે કોઈ પણ પક્ષના પદ માટે આકાંક્ષા રાખતો નથી. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસમાં કોઈ પણ પદની ઈચ્છા રાખતો નથી, ન તો હું કોંગ્રેસ છોડીને ક્યાંય જઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *