નવા બનેલા મંત્રીના વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ પકડ્યું રાશન કૌભાંડ

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં અવારનવાર અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ગરીબોના અનાજનો કાળો બજાર કરવામાં આવે છે અને…

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં અવારનવાર અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ગરીબોના અનાજનો કાળો બજાર કરવામાં આવે છે અને ગરીબ લોકોનું અનાજ અન્ય જગ્યાએ જ સગેવગે કરી દેવામાં આવે છે. કાળાબજારીઓ ગરીબોનું સસ્તું અનાજ બહાર વેચી દે છે.

સુરત શહેરમાં અવારનવાર અનાજના કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત અનાજ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં અનાજ સગેવગે કરવાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરના ડભોલી વિસ્તારમાંથી ગરીબોનું અનાજ સગેવગે કરનારા કાળાબજારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડિયાના મત વિસ્તાર હરિદર્શન ખાડામાં આવેલ સસ્તા અનાજની દુકાને અનાજની હેરાફેરી કરતા સંચાલક બાબુ પટેલને આજે આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા તેમના ગોડાઉનમાંથી પ્રાઇવેટ બારદાનમાં અનાજ સગે વગે કરતા પકડી પાડવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, ગરીબોના ભાગનું અનાજ બારોબાર વેચી નાખે છે અને પાછા તો ઉપરથી દાદાગીરી કરે છે. સાથે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, બાબુ પટેલ ભાજપનો કાર્યકર્તા છે. સાથે આક્ષેપ કરતા કહ્યું છે કે, અંદાજિત 70 બોરી ચોખા ની સરકારી બારદાનની બોરી ને નામ વગર બોરી મા ભરી ટેમ્પામા લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. પણ લોકો ને જાણ થતાં ટેમ્પા વાળો ભાગી ગયો અને ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું.

આ સમગ્ર ઘટના અંગે કતારગામના મામલતદાર શ્રી ગૌસ્વામી સાહેબે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહત્વનું છે કે, હમણાં જ નવામંત્રી મંડળમાં સ્થાન મળેલા વિનોદ મોરડિયા અને  શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીના વિસ્તારમાંથી ગરીબ લોકોનું અનાજ સગેવગે થતું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *