AAP કોર્પોરેટર પાયલ પટેલે ખાડી સ્વચ્છતા કરવા શરુ કરી ઝુંબેશ- બે દિવસમાં કામ નહી થાય તો આંદોલનના રસ્તે…

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના…

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના વિસ્તારમાં આવેલ ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઇ છે. જેને જોતા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સક્રિય થયા છે.

પાયલ સાકરિયા ના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તાર માંથી પસાર થતી ખાડી માં ખુબજ ગંદકી જમા થઈ ગઈ છે સાથે ખાડીમાં ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને તેમની ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. ત્યાર બાદ સંકલન મીટીંગ માં પણ પાયલ સાકરિયા અને પાર્ટીના લોકોએ રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.

ત્યારે હવે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલબેન સાકરીયાએ સુરતના મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી બચ્છાંનિધિ પાની ને આવેદન આપતા લખ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિભાગ-એ અને વિભાગ-બી માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ગાડી ની આજુબાજુ ની વિવિધ સોસાયટીઓ નાં રહેવાસીઓને ખાડી ની દુર્ગંધ તથા તેમાં રહેતી ગંદકીના કારણે ઉદભવતી મચ્છરોના ઉપદ્રવ તથા ખરાબ વાસ ના કારણે વિવિધ આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડે છે તથા આ સમસ્યાના કારણે ઉપરોક્ત સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે તથા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ૩૬ કલાકની અંદર દસથી વધુ ટીમ ઉતારી ખાડીની ડ્રેજીંગ ની કામગીરી કરવી અત્યંત જરૂરી છે. જેથી આ વિસ્તારમાં ખાડીના ગંદા પાણીના ભરાવાને કારણે રહીશોને આરોગ્ય સહિત જાનમાલનું નુકસાન ન થાય.

સાથે કહ્યું છે કે, ઉપરોક્ત વિસ્તારના રહીશોને પડતી આરોગ્યની સમસ્યાઓના નિરાકરણ માટે આપશ્રી દ્વારા આ ખાડીનું ડ્રેજિંગ સહિત ખાડી ને અડીને આવેલા તમામ સોસાયટીઓનાં મેડિકલ ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરાવવી. તેમજ સમગ્ર વિસ્તારમાં તળિયાઝાટક સફાઈ કરાવી ને દવાના છંટકાવ તથા ધૂમ્રસર કરીને લોકોને પડતી સમસ્યાઓની તાકીદના ધોરણે નિરાકરણ લાવશો.

સાથે વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલબેન સાકરિયા એ કહ્યું છે કે જો ખડી સાફ કરવામાં નહીં આવે તો જન આંદોલનનો રસ્તો જ અપનાવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *