હર્ષ સંઘવી AAP ના નેતાઓને ચેલેન્જ આપીને ફંસાયા- ‘આપ’ના આ નેતાએ કહ્યું તારીખ અને સ્થળ જણાવો હું આવીશ

ગુજરાત સરકારને નથી મળી રહ્યા એ કોરોના સારવારમાં મદદરૂપ રેમડેસીવીર ઇન્જેક્શન સી આર પાટીલે સુરતમાં ફ્રી માં આપતા વિવાદ સર્જાયો છે. સુરત સહીત ગુજરાતના તમામ…

ગુજરાત સરકારને નથી મળી રહ્યા એ કોરોના સારવારમાં મદદરૂપ રેમડેસીવીર ઇન્જેક્શન સી આર પાટીલે સુરતમાં ફ્રી માં આપતા વિવાદ સર્જાયો છે. સુરત સહીત ગુજરાતના તમામ શહેરોમાં આ ઇન્જેકશનની માંગ ખુબ વધી છે, ગુજરાતમાં ક્યાય આ ઇન્જેક્શન લાઈનમાં ઉભા રહ્યા સિવાય મળતા નથી જયારે કેટલાય લોકોને લાઈનમાં ઉભા રહેવા છતાં ઇન્જેક્શન વગર ખાલી હાથે જવું પડે છે.

આ ઇન્જેક્શન વિતરણ શરુ થતાની સાથે જ ગુજરાત સરકાર સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે અને દાવો કરાય રહ્યો છે કે આ ઇન્જેકશન સી આર પાટીલ પાસે ક્યાંથી આવ્યા તે સવાલો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરત ઉમરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખના સમર્થનમાં આક્રમકતા સાથે કુદી પડ્યા છે અને બેફામ આક્ષેપો કરીને આપ ના નેતાઓને ઇન્જેક્શન બાબતે ઓપન ડીબેટ કરવાનું આમંત્રણ આપી બેઠા છે. ત્યારે આ ચેલેન્જને આપ ના નેતાઓએ સ્વીકારી લઈને હર્ષ સંઘવીને ગુગલી ફેંકી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણીએ આ બાબતે ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે, સત્તાના બળે બજારમાં અને સરકારી દવાખાનામાં ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરીને ભાજપના કાર્યાલય ઉપર દર્દીના સગાઓ સાથે ફોટા પડાવી વાહવાહી મેળવવાના તાયફા કરતી વખતે ખુલ્લા પડી ગયેલા સી.આર.પાટીલ & કાળાબજાર કંપનીના સભ્ય એવા સુરત શહેર મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા રઘાવાયા થઈને પોતાની નિષ્ફળતા છુપાવવા મીડિયામાં ખોટા બુમ-બરાડા પાડી અને બકવાસ કરી, બેદુદી અને બિભત્સ ભાષાનો ઉપયોગ કરી, ચોરી કરતા પકડાઈ જવાથી સીનાજોરી કરી સહાનુભુતિ મેળવવાના બદઈરાદે AAPના પ્રતિનિધીને કોરોના ઈન્જેકશન બાબતે જાહેરમાં ડિબેટમાં આવવાની ચેલેન્જ ફેંકેલ હતી.

વધુમાં યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, આજરોજ હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી આ ચેલેન્જનો સ્વીકાર કરું છું અને અને વિનંતી સાથે કહું છુ કે, આદરણીય ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી તેમની બોલેલી વાતનું પાલન કરે અને ડિબેટનું સ્થળ, સમય અને તારીખ જાહેર કરી અને ડિબેટના સ્થળ પર પધારે.”​​

ઉલ્લેખનીય છે કે આ મામલે સી આર પાટીલે ફોડ પાડ્યો હતો કે, ‘હું પોતાની રીતે રેમડેસિવિર ઇન્જેક્શન લાવ્યો છું. રાજ્ય સરકારે કોઇ જ મદદ નથી કરી. સુરતના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યાં છે.’ મહત્વનું છે કે, 5 હજાર ઇન્જેક્શનની ખરીદીના મુદ્દાએ જોર પકડ્યાં બાદ સી.આર પાટીલે આ મામલે ખુલાસો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *