‘ભારત માતાની જય’ ના નારા સાથે આઝાદીની 75મી વર્ષગાંઠ પર્વે નીકળી AAP ની ભવ્ય તિરંગાયાત્રા

ગુજરાત(GUJARAT): આઝાદીની 75મી વર્ષગાંઠ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. ઇસુદાન…

ગુજરાત(GUJARAT): આઝાદીની 75મી વર્ષગાંઠ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. ઇસુદાન ગઢવીની સાથે પ્રદેશ કાર્યાલય ખાતે સેંકડો કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ત્યાં બધાએ રાષ્ટ્રગીત ગાયું અને ભારત માતાની જયના ​​નારા લગાવ્યા. આ પહેલા ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઝાદીની 75મી વર્ષગાંઠ પર એક ભવ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ત્યાં હાજર તમામ લોકોએ ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાનો સંકલ્પ લીધો હતો.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયે ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના હાથમાં ભારત દેશની શાન એટલે કે રાષ્ટ્રધ્વજ લઈને દરેક જિલ્લામાં ‘ભારત માતા કી જય’ ના નારા સાથે આઝાદીની 75મી વર્ષગાંઠના ઉત્સવમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ની આ તિરંગા યાત્રા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભરૂચ, જૂનાગઠ, ભુજ સહિત ગુજરાતના તમામ જિલ્લામાં નીકાળવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે શહેરના સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય, નવરંગપુરા, આશ્રમ રોડ થી આશ્રમ રોડ હનુમાનજી મંદિર ચાર રસ્તા, વલભ સદન ચાર રસ્તા, રૂપાલી સિનેમા સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ઇસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી મહિલા વિંગ પ્રમુખ ગૌરીબેન દેસાઈ, અમદાવાદ શહેર પ્રમુખ જે.જે મેવાડા અને બીજા અસંખ્ય કાર્યકર્તાઓ સ્થાનિક લોકો સાથે જોડાયા હતા અને ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ભારે વરસાદમાં પણ નિર્ધારિત સમયે ઘ્વજવંદન કર્યા બાદ, ગોપાલ ઈટાલિયાની આગેવાની હેઠળ કારગીલ ચોક પીપલોદ થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય પરિષદ સભ્ય રાકેશ હિરપરા, સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, પ્રદેશ સંગઠન મંત્રી અને કામરેજ વિધાનસભા ઉમેદવાર રામ ધડૂક અને સેંકડો કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં ‘AAP’ ના વડોદરા લોકસભા પ્રમુખ મયંકભાઈ શર્માની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ સહિત કોઠી ચાર રસ્તા થી નીકળી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરમાં ‘આપ’ના રાજકોટ શહેર પ્રમુખ ચેતનભાઈ કમાણીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ સહિત પર્ણકુટી સોસાયટી ગ્રાઉન્ડ, સૂર્યમુખી હનુમાનજી મંદિર, નાનામૌવા મેઈન રોડ થી ત્રિકોણ બાગ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *