“મોદી-શાહ કોરોનાથી ગુજરાતને ન બચાવી શક્યા તો દેશને શું બચાવશે”- જાણો કોણે કરી કટાક્ષ?

Published on Trishul News at 5:21 PM, Mon, 25 May 2020

Last modified on May 25th, 2020 at 5:22 PM

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. જેના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં કોગ્રેસ સતત સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે. તેમજ વધુ પ્રમાણમાં કોરોના વાઇરસને લઇને કોગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ફરી એક વખત કોગ્રેસના નેતા એવા અભિષેક મનુ સિંઘવીએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત અને અમિત શાહના સંસદીય વિસ્તાર એવા અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ છે.

કોરોના સામે જંગ છેડવાના દાવા કરનારા આ બન્ને નેતાઓના ગૃહ ક્ષેત્રની સ્થિતિ ખુબ વધુ કફોડી છે. એવામાં દેશ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરશે કે, કોરોનાથી બચવામાં સરકાર મદદ કરશે. મોદી અને અમિત શાહની જોડી કોરોના જેવી મહામારીથી આ દેશને અને ગુજરાતને બચાવવામાં નિષ્ફળ રહી છે. આવી રીતે સિંઘવીએ સરકાર ઉપર પ્રહારો કાર્ય છે.

હાલમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ હોવા છતાં પુરતા પ્રમાણમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓનો અભાવ છે. હાલમાં ગુજરાતમાં આઇસીયુ અને પીપીઇની પણ ગંભીર રીતે અછત છે. કોંગ્રેસના અન્ય એક નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના અને ગુજરાતની વધતી જતી સ્થિતિ અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તે મોદી સરકાર માટે આંખો ઉઘાડવા સમાન છે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર અમદાવાદમાં જ રાજ્યના અન્ય ભાગો કરતા વધુ કેસો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અમદાવાદમાં થયેલા કુલ મોતના ૬૨ ટકા છે. એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી રહી હોવાનો દાવો સિંઘવીએ કર્યો હતો. હાઇકોર્ટે કોરોનાનો ટેસ્ટ યોગ્ય રીતે ન થઇ રહ્યો હોવા અંગે પણ ટીપ્પણી કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી આ હોસ્પિટલમાં ડોકિયું કરવા પણ નથી ગયા. ઘણા રાજ્યોમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટની અનુમતી છે પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં આવું નથી અને ખાનગી લેબો દ્વારા ટેસ્ટિંગ ઘટાડી દેવાય છે અને આમ કરીને સરકાર આંકડા છુપાવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "“મોદી-શાહ કોરોનાથી ગુજરાતને ન બચાવી શક્યા તો દેશને શું બચાવશે”- જાણો કોણે કરી કટાક્ષ?"

Leave a comment

Your email address will not be published.


*