નાના દીકરાના અંતિમ સંસ્કાર કર્યા ત્યાં મોટા દીકરાના મોતના સમાચાર આવતા આઘાતમાં સરી પડ્યા પિતા

બોટાદ(Botad)-બરવાળામાં લઠ્ઠાકાંડથી દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદા વાળું ગુજરાત(Gujarat) હચમચી ગયું છે. આજ સવાર સુધીમાં 27 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે આકરુ ગામે…

બોટાદ(Botad)-બરવાળામાં લઠ્ઠાકાંડથી દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદા વાળું ગુજરાત(Gujarat) હચમચી ગયું છે. આજ સવાર સુધીમાં 27 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે આકરુ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાપે દારુના કારણે 12 કલાકમાં જ પોતાના 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે. જેને પગલે પિતાની હાલત કફોડી બની છે.

એકના અંતિમસંસ્કાર કરીને ઘરે આવ્યા ને ઘરમાં બીજાને ઉલટીઓ શરુ થઈ:
પ્રાપ્ત વિગતો અનુસાર, 25 વર્ષીય ભાવેશભાઈ દારુ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા. અચાનકથી જ તેમના મોઢામાંથી ફિણ નીકળવાનું શરુ થઈ ગયું. જેથી 108 બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ લઈ જતા ભાવેશભાઈનું મોત નિપજ્યું. જેને પગલે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ પછી સવારે તેમના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં.

આ પછી પરિવાર અંતિમ સંસ્કાર પતાવીને ઘરે આવ્યા તો જોયું કે નાના ભાઈની માફક જ મોટા ભાઈ કીશનભાઈ ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડ્યા છે. આ જોતા જ પરિવારના લોકોના હોંશ ઉડી ગયા. તેને પણ તાત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે,

મારા 4 દીકરા પણ કમાઉ દીકરા તે બંને જ હતા- પિતા
એક જ સાથે બે ભાઈઓના મોત થવાને કારણે પિતાના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ વિચારી નથી શકતા કે આગળ શું કરવું? પિતાએ જણાવ્યું કે મારા ઘરમાં 10 વ્યક્તિ છે, મારા 4 દીકરા છે પરંતુ સારુ કમાવનાર આ બંને દીકરા જ હતા. હવે અમારે શું કરવું તે મને સમજાતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *