ગુમ થયેલા ચારેય યુવાનો ગાડી સાથે નદીમાં ડૂબી જતાં કરુણ મોત- જુઓ દ્રશ્યો

પંચમહાલ જિલ્લાના ચાર પાટીદાર યુવાનો 7 ડિસેમ્બર ની સવારથી જુનાગઢ થી ગુમ થયેલ હતા. આ યુવાનો વીરપુર દર્શનાર્થે ઈકો ગાડી લઈને નીકળ્યા હતા. પરંતુ તારીખ…

પંચમહાલ જિલ્લાના ચાર પાટીદાર યુવાનો 7 ડિસેમ્બર ની સવારથી જુનાગઢ થી ગુમ થયેલ હતા. આ યુવાનો વીરપુર દર્શનાર્થે ઈકો ગાડી લઈને નીકળ્યા હતા. પરંતુ તારીખ આઠના સવારે સાડા ચાર કલાકથી તેમનો કોઇ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. જેના કારણે તેના માતા-પિતા ચિંતાતુર બન્યા હતા અને સોશિયલ મીડિયામાં આ યુવાનોને શોધવા માટે જાહેર અપીલ કરી હતી, પરંતુ આ યુવાનો ગાડી સાથે મેંદરડા નજીકની નદીમાં ડૂબી ગયેલી હાલત માં મળી આવતા તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું.

ગુમ થયેલ ગાડી રાત્રે મેંદરડા પાસે નદીમાંથી મલી આવેલ છે. પાણીમા ડુબી જવાથી ચારેય યુવાન મૃત્યુ પામેલ છે. પી.એમ.કર્યા બાદ આજે બપોરે પછી રામપુર (ગોધરા) લાવવામાં આવશે. ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે.

તારીખ ૭-૧૨ ના રોજ પંચમહાલના રામપુરા ગામના ચાર યુવાનો વીરપુર યાત્રાધામ ખાતે દર્શન કરવા નીકળેલ હતા. જેમનો છેલ્લો સંપર્ક જૂનાગઢમાં હતા ત્યારે થયો હતો. હાલમાં પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહતી પટેલ, જીગર પટેલ નામના યુવાનો ના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. પરંતુ આ તમામ યુવાનોના મૃત્યુના સમાચારે પરિવારજનોને ગમગીનીમાં મૂકી દીધા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં વાલીઓ દ્વારા પોતાના ફોન નંબર અને યુવાનોના નામ સાથે ફોટા મૂકીને જો કોઈને આ યુવાનો બાબતે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વાલીઓના ફોન નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *