સુરત થી ભાવનગર વચ્ચે બનવાનો પુલ માત્ર કાગળો પર હોવા છ્તા તેની પાછળ થઈ ગયો છે કરોડોનો ખર્ચ, જાણો વિગતે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીનો એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ એટલે, કલ્પસર યોજના. જેની ભૂતકાળમાં એક-બે વખત નહિ પરંતુ અનેકવાર જાહેરાત થઇ ચૂકી…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીનો એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ એટલે, કલ્પસર યોજના. જેની ભૂતકાળમાં એક-બે વખત નહિ પરંતુ અનેકવાર જાહેરાત થઇ ચૂકી છે છતાં આજે ગુજરાત સરકારનું એવું કહેવી  છે કે, કલ્પસર યોજનાની હજી અમે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. આ યોજનાની જાહેરાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી અને પછી આનંદીબહેન પટેલે પણ બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી.         

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહી છે ત્યારે વિધાનસભામાં કલ્પસર યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી? તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કેઅમે કલ્પસર યોજનાની કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી પરંતુ કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે 2003માં મોદી સરકારે મંજૂરીઓ આપેલી છે.

વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે સવાલ પૂછયો કે, આ યોજના પાછળકેટલો ખર્ચ થયો છે. ત્યારે આ પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસ પાછળ 61.89 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ ખર્ચ વિવિધ અભ્યાસો પાછળ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો કે, યોજના ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે?  આ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે. પ્રગતિ હેઠળના અભ્યાસો પૂર્ણ થયા પછી કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં આવશેઅને તે પછી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વિવિધ મંજૂરીઓ મેળવવામાં આવશે. આ યોજનાનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 65000 કરોડની કલ્પસર યોજનાનું કદ અત્યારે એક લાખ કરોડના આંકડાને આંબી ગયું છે. નરેન્દ્ર મોદીએ તો કહ્યું હતું કે નર્મદા પછીની સૌથી મોટી કલ્પસર યોજના ઝડપથી શરૂ કરવામાં આવશે પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા પછી આ યોજના ટલ્લે ચઢી ગઇ છે. અભ્યાસોમાં પણ મંથર ગતિએ કામ ચાલે છે. આ યોજનામાં 17 વર્ષનો લાંબો વિલંબ થયો છે. હવે જોવાનું એ રહ્યું છે કે, રૂપાણી સરકારના કાળમાં આ યોજના પૂર્ણ થશે કે નહિ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *