ગુજરાતમાં ભાજપના શાસનને યથાવત રાખવા અમિત શાહ સહિત સ્ટાર પ્રચારકો ગજવશે સભા- જાણો કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ફરી ભાજપ(BJP)નું રાજ્યમાં શાસન લાવવા ભાજપ તનતોડ મહેનત કરી રહી છે.…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ફરી ભાજપ(BJP)નું રાજ્યમાં શાસન લાવવા ભાજપ તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) 5 જિલ્લામાં જનસભાને ગજવવા જઈ રહ્યા છે. અમિત શાહે ગુજરાતમાં પ્રચારને વેગવંતો બનાવી દીધો છે. આજે અમિત શાહ 5 જિલ્લામાં જનસભાને સંબોધશે તો નાંદોદમાં રોડ શોનું આયોજન છે.

જો વાત કરવામાં આવે તો અમિત શાહ આજે સવારે 10 વાગ્યે ખેડાની મહુધા બેઠક પર સભા ગજવશે. ત્યારબાદ સવારે સાડા 11 વાગ્યે દાહોદની ઝાલોદ બેઠકના ઉમેદવાર માટે સભા ગજવશે. બપોરે દોઢ વાગ્યે ભરૂચની વાગરા બેઠક પર સભા ગજવશે. બપોરે 3 વાગ્યે નર્મદાની નાંદોદ બેઠક પર અને સાંજે 7 વાગ્યે અમદાવાદની નરોડા બેઠક પર સભા ગજવશે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે ભાજપના સ્ટાર પ્રચારક દ્વારા પણ જુદી જુદી જગ્યાએ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવશે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિયોદરમાં સભા ગજવશે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 5 સભા ગજવશે. સુરતના ઉધના અને કતારગામમાં સ્મૃતિ ઈરાની પ્રચાર કરવા માટે આવશે. વલસાડના સરીગામ, ખાજુરડીમાં સ્મૃતિ ઈરાની પ્રચાર કરવા માટે આવશે.

મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 3 સભા ગજવશે. આણંદ અને સુરતમાં VIP રોડ, અમરોલીમાં પ્રચાર કરશે. સાથે જ કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા 5 જનસભા ગજવશે જેમાં વાંસદ, ચીખલી, આહવા, વરાછા, કતારગામમાં પ્રચાર કરશે. સાંસદ દિનેશલાલ યાદવ વડોદરા, સુરતમાં 3 સભા ગજવશે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છમાં 3 સભા સંબોધશે.

ગૃહમંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ:
સવારે ૧૧.૦૦ કલાકે, ઓડીનાર, નડિયાદ અને બપોરે ૧૨.૩૦ કલાકે લીમડી, દાહોદ અને જાહેર સભા બપોરે ૦૨.૩૦ કલાકે વાઘરા, ભરૂચ અને રોડ શો બપોરે ૦૪.૦૦ કલાકે નાંદોદ, નર્મદા અને રાત્રે ૦૮.૩૦ કલાકે નરોડા, અમદાવાદ.

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આજનો કાર્યક્રમ:
સવારે ૧૧.૨૫ કલાકે અમદાવાદ એરપોર્ટ અને બપોરે ૦૩.૦૦ કલાકે ઉધના, સુરત અને બપોરે ૦૪.૦૦ કલાકે કતારગામ, સુરત અને સાંજે ૦૬.૩૦ કલાકે સરીગામ, વલસાડ અને રાત્રે ૦૮.૩૦ કલાકે ખાજુરડી, વલસાડ.

કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા કાર્યક્રમનો આજના કાર્યક્રમ
સવારે ૧૧.૦૦ કલાકે વાંસદા, નવસારી અને બપોરે ૧૨.૩૦ કલાકે ચીખલી, નવસારી અને બપોરે ૦૩.૧૦ કલાકે આહવા, ડાંગ અને સાંજે ૦૬.૦૦ કલાકે વરાછા, સુરત અને રાત્રે ૦૯.૦૦ કલાકે કતારગામ, સુરત.

સી આર પાટીલનો આજના કાર્યક્રમ:
બપોરે ૦૧.૪૦ કલાકે દિયોદરમાં સી આર પાટીલની જાહેરસભા

સાંસદ દિનેશલાલ યાદવનો આજના કાર્યક્રમ:
સવારે ૧૧.૦૦ કલાકે રેસકોર્સ, વડોદરા અને સાંજે ૦૬.૦૦ કલાકે વીઆઈપીરોડ, સુરત અને સાંજે ૦૭.૩૦ કલાકે લીંબાયત, સુરત.

પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આજનો કાર્યક્રમ:
સવારે ૧૧.૩૦ કલાકે મુન્દ્રા કચ્છ અને બપોરે ૦૩.૦૦ કલાકે અબડાસા, કચ્છ અને સાંજે ૦૬..૦૦ કલાકે નખત્રાણા, કચ્છ.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *