કલાકો સુધી કોવીડ સેન્ટરમાં દીકરો કરતો રહ્યો પિતાની શોધખોળ, છેવટે બાથરૂમમાંથી મળ્યો…

એકતરફ કોરોના વાયુવેગે વકરી રહ્યો છે અને બીજીબાજુ દિવસેને દિવસે લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી…

એકતરફ કોરોના વાયુવેગે વકરી રહ્યો છે અને બીજીબાજુ દિવસેને દિવસે લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી સ્મશાનમાં એટલી બોડી આવે છે, કે સરકારને પણ સ્મશાનને 24 કલાક ખુલ્લું રાખવાનો આદેશ આપી દીધો છે. આવી પરિસ્થિતિ વચ્ચે એકતરફ ઈન્જેકશનના નામે રાજનીતિ થઇ રહી છે અને બીજીતરફ વધુમાં વધુ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ તંત્ર કેટલી બેદરકારી કરી રહ્યું છે અને આ બેદરકારીનો ભોગ માસુમ લોકો ભોગવી રહ્યા છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં દીકરો તેના પિતાને સતત ત્રણ કલાક સુધી ગોતતો રહ્યો અને છેવટે હોસ્પિટલના બાથરૂમમાંથી પિતાનો મૃતદેહ તેના દીકરાને મળ્યો હતો.

સતીષભાઈ નહોતા જાણતા કે, એકવાર આ હોસ્પીટલમાં આવ્યા બાદ તમારો મૃતદેહ જ આ હોસ્પીટલની બહાર જશે. અહિયાં વાત થઇ રહી છે, વડોદરાની એક હોસ્પિટલની! જેમાં દાખલ થયેલા સતીષભાઈનો મૃતદેહ હોસ્પીટલના બાથરૂમમાં મળતા ચારેતરફ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં હોસ્પિટલના સત્તાધીશો અને તબીબી સ્ટાફની ગંભીર બેદરકારી છે. આ જ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ સતીષભાઈ નહિ મળતા તેના દીકરાએ સતત કલાકો સુધી તેની શોધખોળ કરી હતી. અને કલાકોની મહેનત બાદ સતીષભાઈનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. અને આ વાતની જાણ ખુદ ત્યાના ડોક્ટરોએ કરી હતી. આ વાતની જાણ થતા સતીષભાઈના દીકરાએ સ્ટાફ સામે રોષ ઠાલવી નિષ્કાળજી અને બેદરકારીના આક્ષેપ કર્યા છે.

દીકરાએ પિતા સાથે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ…
વિજયનગરમાં રહેતા સતીષભાઈ ભાટીયાને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતીષભાઈ ભાટીયાની ઉંમર 70 વર્ષ છે. અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા આ હોસ્પીટલના કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ કરવામાં આવ્યા હતા. સતીષભાઈ ભાટીયાના દીકરા ગોકુલનું જણાવવું છે કે, ગઈકાલ રાતથી મેં મારા પિતા સાથે વાત કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ સંપર્ક થયો નહોતો. આ કારણે ગોકુલે હોસ્પીટલમાં જઈને તપાસ કરી હતી, અને સતત ત્રણ કલાકની શોધખોળ બાદ પિતાનો મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યો હતો. સાથે-સાથે જ તેઓ જણાવતા કહે છે કે, હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, મારે તમારા પિતા અંગે જરૂરી વાત કરવી છે, ત્યારે તેઓ તરત જ હોસ્પિટલના છઠ્ઠા માળે પહોચ્યા હતા અને ત્યારે તબીબીઓએ જણાવ્યું હતું કે, તેમના પિતા રાતે બાથરૂમમાં ગયા હતા જ્યાં એટેકથી તેમનું મોત થયું હતું.

તબીબો દ્વારા કોઈપણ પ્રકારની માહિતી ન આપવાનો આક્ષેપ
સતીષભાઈ ભાટીયાના દીકરા ગોકુલનું જણાવવું છે કે, રાતે ગયા હતા અને તેમનું મોત ક્યારે થયું તેના વિશે તબીબો કઈ જ જણાવતા નથી. બીજી તરફ નોડલ ઓફિસર ડો. બેલીમે જણાવ્યું હતું કે સતિષભાઈ સવારે બાથરૂમમાં ગયા હતા. બે કલાક સુધી તે આવ્યા ન હતા. બાજુના બેડ પરના દર્દીએ આ અંગે સ્ટાફને જણાવ્યું હતું. સ્ટાફે બાથરૂમનું બારણું તોડી જોતા તેઓ મૃત હાલતમાં મળ્યાહતા. સતીષભાઈ ભાટીયાનું હેપ્પી હાઇપોકસીયા અને સાઈટોકાઈન સ્ટ્રોમના કારણે તેમનું મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *