શું તમે કબજિયાતની સમસ્યાથી છો પરેશાન? તો આજે દુધમાં આ એક વસ્તુ મિક્ષ કરીને પી લો

Published on Trishul News at 6:14 PM, Thu, 23 June 2022

Last modified on June 23rd, 2022 at 6:14 PM

તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે. બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. તેમાં પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. ખરાબ ખાવાની આદતોના કારણે મોટાભાગના લોકો બહારનું ભોજન ખાવા માટે મજબૂર હોય છે, જેના કારણે તેમને ગેસની સમસ્યા થવા લાગે છે.

આવી સ્થિતિમાં, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારની સમસ્યામાં રાહત મેળવવા માટે કઈ વસ્તુઓને આહારમાં સામેલ કરી શકાય. દરેક વ્યક્તિ જાણે છે કે પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેથી, તમારે આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેના સેવનથી કબજિયાત પણ દૂર થાય છે. શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ પાણી ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં તમારે વધુને વધુ પાણી પીતા રહેવું જોઈએ.

જે લોકોના પેટમાં હંમેશા ગેસ રહેતો હોય છે અને કબજિયાત જેવું લાગે છે, તેમણે પણ પોતાના આહારમાં થોડો ફેરફાર કરવો પડશે. તમારે વધુ ને વધુ ફાઈબરયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આમાં દલીયા,જવ, વટાણા, કઠોળ, મસુર, લીંબુ અને સફરજનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ગેસ-કબીજીયતની ફરિયાદને બદામથી દૂર કરી શકાય છે. આ સિવાય બેરી પણ ગેસ-કબીજીયત માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં તેનું સેવન કરવું જોઈએ, કારણ કે તેના સેવનથી પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "શું તમે કબજિયાતની સમસ્યાથી છો પરેશાન? તો આજે દુધમાં આ એક વસ્તુ મિક્ષ કરીને પી લો"

Leave a comment

Your email address will not be published.


*