આમ આદમી પાર્ટીમાં જોડાયા ગૌસેવા સાથે જોડાયેલા અર્જુન આંબલિયા, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાઓ

Published on Trishul News at 9:41 AM, Sun, 30 October 2022

Last modified on October 30th, 2022 at 9:42 AM

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક અનોખી અને આગવી ઓળખાણ ઊભી કરી છે. લોકો તરફથી મોટા પ્રમાણમાં સાથ અને સમર્થન મળી રહ્યું છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીને દરેક વર્ગ, સમાજ, જાતિ, ધર્મ અને વ્યવસાય સાથે જોડાયેલી જનતાનો સમર્થન છે.પાર્ટી ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આખમાં ચમકી રહી છે.

આમ આદમી પાર્ટીથી પ્રભાવિત થઇને ભાજપના નાણાકીય સેલના સદસ્ય તરીકે ફરજ નીભાવતા કેતનભાઈ પટેલ અરવિંદ કેજરીવાલના હસ્તે સમ્માન મેળાવી આમ આદમી પાર્ટી સાથે જોડાયા.પારડી તાલુકા પંચાયતમાં માજી પ્રમુખ તરીકે ચાર વર્ષ માટે અને વાપી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એક વર્ષ માટે સેવા આપેલ છે. આની સાથો સાથ તાલુકા પંચાયતના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપે છે.

કતલખાને લઈ જાતિ ગાયોની રક્ષા કરવા માટે અને ગૌ માતાની સેવા કરવા માટે કાર્યરત ગૌ રક્ષક અને યુવા નેતા અર્જુન આંબલિયા AAP સાથે જોડાયા. ગાયને રાજ્ય પશુનો દરજ્જો, ગોચર જમીન પરના દબાણ દૂર કરવા, રખડતી ગાયો માટે વ્યવસ્થા કરાવી, ખેડૂતોને ગૌઆધારિત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા, ગૌ વસ્તી ગણતરી જેવિ વિવિધ માંગ અર્જુનઅભયે કરેલી છે. AAPની માલધારીઓની અને આપણી બધાની ગૌવ માતાની રક્ષાની જાહેરાતથી પ્રભવિત થઇને પાર્ટીમાં જોડાયા.

વલસાડના સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આદિવાસી એકતા પરિષદના વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત,વલસાડ અને ડાંગ જિલ્લાના પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વિરોધના આંદોલનમાં અગ્રીમ ભૂમિકા નિભાવનાર અને બાળકોને યોગ્ય શિક્ષણની જાગૃતિ માટેના કાર્યક્રમો, સ્વાસ્થ્ય કેમ્પ આયોજન કરે છે. કમલેશભાઈ પણ લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે રાધિકાબેન ફરજ બજાવી ચૂકેલ આજે અરવિંદ કેજરીવાલના હસ્તે ટોપી અને ખેસનું સમ્માન મેળાવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકાબેન કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય સદસ્ય કવાટ તાલુકાના ખરમડા તાલુકા પંચાયતનામાં જનસેવક અને જસ્ટિસ કમિટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવેલ છે.

આજે કેજરીવાલની લોકોની સામસ્યના ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈને દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. લોકોની મોટી સંખ્યામાં સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરતી આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. આ વખતે લોકોમાં પરિવર્તન લાવવાનાં જોશમાં છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આમ આદમી પાર્ટીમાં જોડાયા ગૌસેવા સાથે જોડાયેલા અર્જુન આંબલિયા, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાઓ"

Leave a comment

Your email address will not be published.


*