મોદી અને શાહ બંને છે આધુનિક નથુરામ ગોડસ, તેમનાથી દેશને બચાવો- જાણો કોણે કહ્યું ?

મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત યોજાએલી એક સભાને ગાંધી જયંતીએ સંબોધતાં વિવાદસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના નથુરામ ગોડસે ભારત દેશને બરબાદ…

મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત યોજાએલી એક સભાને ગાંધી જયંતીએ સંબોધતાં વિવાદસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના નથુરામ ગોડસે ભારત દેશને બરબાદ કરી રહ્યા છે. જે લોકો દેશને પ્રેમ કરે છે એ લોકોને મારે કહેવું છે કે મહેરબાની કરીને દેશને બચાવી લો.

ઐારંગાબાદમાં એ.આઇ.એમ.આઇ.એમ.ના લોકસભાના સાંસદ ઇમ્તિયાઝની સભામાં બોલતાં ઓવૈસીએ કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપ તરફથી મોજુ્ં હોવાનું આખી દુનિયા માનતી હતી ત્યારે ઔરંગાબાદમાં તમે ઇમ્તિયાઝને જીતાડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. તમારો દેશપ્રેમ અલ્લાહ વધારે. લોકોને એમ હતું કે અમારી સફળતા માત્ર હૈદરાબાદ સુધી રહેશે. પરંતુ અહીં ઔરંગાબાદમાં ઇમ્તિયાઝને જીતાડીને તમે સૌને ખોટા પાડ્યા.

ઓવૈસીએ વધુ જણાવતા કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપના ઉમેદવારો જીતી રહ્યા હોય ત્યારે અહીં ઇમ્તિયાઝ જીતે એ વિજય વધુ મહત્ત્વનો ગણાય. એ વિજય માટે તમે જવાબદાર છો અને અમે તમારા આભારી છીએ. આ વખતે પણ તમારે અમને જીતાડવાના છે.

હાલમાં જ લોકસભા ચૂંટણીમાં ઇમ્તિયાઝ ઔરંગાબાદ બેઠક પરથી વિજયી નીવડ્યા હતા. ઓવૈસીએ કહ્યું કે મોદી અને અમિત શાહ વારંવાર કહી રહ્યા છે કે એન.આર.સી. લાવો દેશનું બંધારણ સર્વોચ્ચ છે. આજના ગોડસે દેશને બરબાદ કરી રહ્યા છે ત્યારે તમારે મતદારોએ આ ગોડસેથી દેશને બચાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *