ઓવૈસીએ જય શ્રીરામના નારા લગાવી રહેલા સાંસદોને આવી રીતે આપ્યો જવાબ

Published on Trishul News at 6:57 PM, Tue, 18 June 2019

Last modified on January 19th, 2020 at 3:21 PM

 17મી લોકસભાના બીજા દિવસે મંગળવારે નવા ચૂંટાયેલા સાંસદો સાથે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શપથ લીધા હતા. આ દરમિયાન અમુક સાંસદોએ જયશ્રી રામ અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. ઓવૈસીએ હાથથી ઈશારો કરીને વધુ મોટેથી નારેબાજી કરવા કહ્યું હતું. ત્યારપછી અંતે તેમના શપથ પૂરા થયા પછી ઓવૈસીએ જય ભીમ, જય ભીમ અને અલ્લાહ-હુ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

સંસદ સત્રના બીજા દિવસે ઓલ ઈન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ પદની શપથ લીધી હતી. જેવા તેઓ સાંસદ પદની શપથ લેવા ઉભા થયા સંસદભવનમાં જય શ્રીરામના નારા ગુંજવા લાગ્યા હતા. ઓવૈશીએ કહ્યું હતું કે, સારું છે મને જોઇને આમને આ શબ્દો યાદ આવ્યા, કાશ તેમને બાળકોની મોત પણ યાદ આવી જાય.

શપથ દરમિયાન જય શ્રીરામ અને વંદે માતરમના નારા લાગ્યા પછી ઓવૈસીએ કહ્યું કે, સારું છે કે મને જોઈને આ લોકોને આ બધું યાદ આવે છે. આશા છે કે, બંધારણ અને મુઝફ્ફરપુરમાં બાળકોના મોતને પણ યાદ રાખશે.

હૈદરાબાદથી ચોથી વાર સાંસદ ચૂંટાયા ઓવૈસીઃ

ઓવૈસી હૈદરાબાદથી સતત ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે ઉર્દુમાં શપથ લીધા હતા. શપથ પછી તેમણે જય ભીમ, અલ્લાહ-હૂ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ઓવૈસીએ જય શ્રીરામના નારા લગાવી રહેલા સાંસદોને આવી રીતે આપ્યો જવાબ"

Leave a comment

Your email address will not be published.


*