એવું તો શું થઈ ગયું કે, સુરતમાં બેંક મેનેજરને કરવો પડ્યો આપઘાત, સામે આવ્યું ચોકાવનારું કારણ

ગુજરાત રાજ્યમાં અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા હોય છે. સુરત શહેરના પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકનાં ક્લાર્ક તેનાં ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં…

ગુજરાત રાજ્યમાં અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા હોય છે. સુરત શહેરના પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકનાં ક્લાર્ક તેનાં ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. વહેલી સવારનાં સમયે મકાનની છત પરથી લટકતી લાશ મળી આવી હતી.

એકના એક દીકરા દ્વારા આપઘાત કરી લેવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાય ગયો છે. પાર્થ જનકભાઈ મોદીનાં આત્મહત્યા પાછળનું રહસ્ય હજી સુધી જાણી શકાયું નથી. જો કે, પાર્થ દ્વારા મૃત્યુ પામ્યા પહેલા ઈંગ્લીશ તેમજ ગુજરાતી ભાષામાં લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે.

આ સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્થ એનાં માતા-પિતા તેમજ બહેનની સાથે રહેતો હતો. પરિવારનો એકનો એક દીકરો પાર્થ હતો. પરિવાર જનોનો બહુ જ લાડકો દીકરો હતો.

વહેલી સવારનાં સમયે 4 વાગ્યે પરિવારને ધાબા પરથી લટકતી હાલતમાં મળેલ પાર્થની લાશને જોઈને પરિવારનાં પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. સુરત શહેરમાં લોકડાઉન પછી વેપાર ધંધામાં મંદીનાં લીધે કેટલાંક આપઘાતો થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પારિવારિક પ્રશ્નોને લઈને પણ યુવકોએ આપઘાત કરાતા હોવા અંગેનું બહાર આવ્યું છે.

વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી કંટાળીને આત્મહત્યા કર્યા હોવાનાં ચારથી વધારે કેસ બહાર આવ્યા છે. દુર્લભ પટેલ તેમજ PSI અમિતા જોષી આપઘાત કેસ ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *