BAPS પારિવારિક શાંતિ અભિયાન- 72,000 શતાબ્દી સેવકોએ 17 રાજ્યોનાં 24 લાખ ઘરોમાં પહોચાડ્યો શાંતિનો સંદેશ

ભગવાન સ્વામિનારાયણના જીવનમંત્ર “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.” ને ચરિતાર્થ કરતાં સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પરમ પૂજ્ય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami…

ભગવાન સ્વામિનારાયણના જીવનમંત્ર “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.” ને ચરિતાર્થ કરતાં સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પરમ પૂજ્ય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં છે.

17 રાજ્યોના 24 લાખથી વધુ ઘરોમાં પારિવારિક શાંતિ અભિયાન:
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ(Pramukhswami Maharaj Shatabdi Mahotsav)ના ઉપક્રમે તેમના અદભુત કાર્યથી પ્રેરણા લઇને પારિવારિક શાંતિ અભિયાન ચલાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ પારિવારિક શાંતિ અભિયાન અભિયાન હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થાના 72 હજારથી વધુ સ્વયંસેવકોએ 17 રાજ્યોના 24 લાખથી વધુ ઘરોમાં પારિવારિક શાંતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

1 માર્ચ 2020ના રોજ મહંત સ્વામી મહારાજ દ્વારા આણંદ ખાતે પારિવારિક શાંતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરેક ઘરના સંપર્ક દરમિયાન શતાબ્દી સેવકોએ પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (1) ઘરસભા (2) સમૂહ ભોજન (3) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિઃસ્વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંય લોકોને વ્યસનથી છુટકારો અપાવ્યો હતો. આ અભિયાનના હજુ માત્ર 12 દિવસ થયા હતા ત્યાં કોરોના મહામારીનું આક્રમણ થતાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું આ અભિયાન લોકોની સુરક્ષાને લક્ષમાં લઈને 13/3/2020થી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના લગભગ પોણા બે વર્ષ બાદ ફરી એક વખત આ અભિયાન શરુ કરવામાં આવ્યું. જેમાં 1/1/2022થી ફરી એક વખત પારિવારિક શાંતિ અભિયાન સતત અઢી મહિના સુધી વણથંભ્યું દોડતું જ રહ્યું. જેમાં 72,806 શતાબ્દી સેવકો  આ પારિવારિક શાંતિ અભિયાનની સેવામાં જોડાયાં હતાં.

જણાવી દઈએ કે, BAPS પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત દેશના 17 રાજ્યોના 10,012 ગામડા-શહેરોનું પરિભ્રમણ કરી 24 લાખથી વધુ પરિવારના 60,57,635 લોકોને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી છે. આ પારિવારિક શાંતિ અભિયાન દરમિયાન 4,24,696 પરિવારોએ ઘરસભાનો સંકલ્પ કર્યો છે જ્યારે 10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ પ્રાર્થનાનો સંકલ્પ કર્યો છે. તો 19,38,375 પરિવારોએ દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *