ભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરી

Published on Trishul News at 9:22 PM, Mon, 1 July 2019

Last modified on July 1st, 2019 at 9:46 PM

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં નજીવી બાબતે રબારી સમાજના બે જૂથોએ સામસામે આવી જઇ એકબીજા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત વિકલાંગ હુમલાખોરો ભાજપ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લાગ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગાજરાવાડી મંગલ પાર્ક સોસાયટીના 24 નંબરના મકાનમાં રહેતા ગોવિંદભાઈ લાલજીભાઈ રબારી આજે બપોરે એમના ઘરે હાજર હતા એ દરમિયાન વિસ્તારમાં રહેતા રાજુભાઇ નવઘણભાઈ રબારી તેમજ તેમના પિતરાઈ ભાઈ હિતેશભાઈ મહેશભાઈ રબારી ઘરે આવ્યા હતા અને વિસ્તારમાં થતાં મકાનના સોદામાં કેમ આડખીલીરૂપ બને છે એવો સવાલ કરતાં ગોવિંદભાઈ અંગે કશું જાણતો ન હોવાનું જણાવ્યું હતું.

વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા સામસામે ગાળાગાળી શરૂ થઇ હતી અને ગોવિંદભાઈ ઉપર બંને વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ મામલે બુમાબુમ થતાં દોડી આવેલા ઘરના સભ્યોએ આ બંનેને હુમલો કરતા અટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ઘરની બહાર ધકેલી ચાલી બંધ કરી દીધી હતી અને ધક્કા માર્યા હતા. જેનાથી ઉશ્કેરાય બંને જણા બહાર નીકળી પથ્થરમારો શરૂ કર્યો.

 

Be the first to comment on "ભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરી"

Leave a comment

Your email address will not be published.


*