BCCI સેક્રેટરી જય શાહની મોટી જાહેરાત- IPL 2022 UAEમાં નહિ પરંતુ આ દેશમાં રમાશે

શુક્રવારે ચાહકોને ખુશખબર આપતાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે(BCCI Secretary Jay Shah) કહ્યું કે, આવતા વર્ષે આઈપીએલ ભારતમાં યોજાશે. IPL 2021નો પ્રથમ તબક્કો ભારતમાં આયોજિત કરવામાં…

શુક્રવારે ચાહકોને ખુશખબર આપતાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે(BCCI Secretary Jay Shah) કહ્યું કે, આવતા વર્ષે આઈપીએલ ભારતમાં યોજાશે. IPL 2021નો પ્રથમ તબક્કો ભારતમાં આયોજિત કરવામાં આવ્યો હતો પરંતુ કોરોના મહામારીમાં વધતા જતા કેસને કારણે તેને અધવચ્ચે જ અટકાવવી પડી હતી અને ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ IPL 2020નું પણ UAEમાં જ આયોજન કરવામાં આવ્યું હતું.

IPL 2022 માટે મેગા ઓક્શન ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આવતા વર્ષથી લીગમાં આઠની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો છે જે આગામી સિઝનથી લીગમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં જય શાહે કહ્યું કે તે આગામી સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેને આશા છે કે 10 ટીમોની આગામી સિઝન ચાહકો માટે ખૂબ જ રોમાંચક રહેશે.

IPL 2022 ભારતમાં યોજાશે:
ભારતમાં ટી-20 મેચ પરત આવી છે. ન્યુઝીલેન્ડ હાલમાં ભારતના પ્રવાસે છે જ્યાં તેઓ ત્રણ મેચની ટી20 શ્રેણી અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યા છે. આ મેચો દરમિયાન ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. ત્યારથી એવી અપેક્ષા હતી કે આવતા વર્ષે IPL પણ ભારતમાં યોજાશે અને હવે જય શાહે તેની પુષ્ટિ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના વિશેષ કાર્યક્રમમાં જય શાહે કહ્યું, ‘BCCI સેક્રેટરીએ કહ્યું, ‘હું જાણું છું કે તમે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સને રમતા જોવા માંગો છો અને તે ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે.’ તેણે કહ્યું, ‘આઈપીએલની 15મી સીઝન હશે. ભારતમાં યોજાયેલ અને બે નવી ટીમોના ઉમેરા સાથે, તે પહેલા કરતા વધુ રોમાંચક હશે. અમારી આગળ મેગા ઓક્શન છે અને નવા સમીકરણો જોવું રસપ્રદ રહેશે.

ધોનીએ ફાઈનલ મેચનો પ્લાન જણાવ્યો:
તે જ ઇવેન્ટમાં, સુકાની ધોનીએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે ઓછામાં ઓછી એક વધુ સીઝન માટે તેની મનપસંદ પીળી જર્સી પહેરશે અને ચાહકો ચોક્કસપણે તેને તેમના મનપસંદ ચેપોક સ્ટેડિયમમાં તેમની ‘વિદાય મેચ’ રમતા જોશે. ધોનીએ કહ્યું, ‘મેં હંમેશા મારા ક્રિકેટનું આયોજન કર્યું છે. મેં મારી છેલ્લી મેચ રાંચીમાં રમી હતી. વનડેમાં છેલ્લી હોમ મેચ મારા હોમટાઉન રાંચીમાં હતી, તેથી આશા છે કે મારી છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં હશે. તે આવતા વર્ષે હશે કે પાંચ વર્ષના સમય પછી, અમને ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *