નાકમાં ગાયનું શુદ્ધ ઘી નાખવાથી થાય છે ચમત્કારી ફાયદા

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે.…

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

1. માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.

2. દેશી ઘીમાં એન્ટી કેન્સર, એન્ટી વાયરલ ગુણ હોય છે. બાળકો,વૃદ્ધ કે દવાન દરેક લોકો માટે દેશી ઘી ફાયદાકારક માનવામાં આવે છે. તેમા રહેલા વિટામીન અને પોષક તત્વલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

3. જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે, તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.

4. ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.

5. તે સિવાય ગાયનું ઘી નાકમાં નાખવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા થી છૂટકારો મળે છે.

6. ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.

7. નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.

8. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.

9. શરીરમાં રહેલી કમજોરી દૂર કરવા માટે દૂધની અંદર ગાયનું દેશી ઘી મિક્સ કરીને પીવું જોઇએ.

10. ગાયનું ઘી નાકમાં નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછો આવી શકે છે.

11. નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.

12. જ્યારે હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસા ના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.

13. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે.

14. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *