કાલથી શરુ થનારી ટ્રેનનું બુકિંગ શરુ- જાણો કેવી રીતે મળશે ટીકીટ અને શું હશે નિયમ

Published on Trishul News at 11:41 AM, Mon, 11 May 2020

Last modified on May 11th, 2020 at 11:41 AM

કોરોનાવાયરસની મહામારી વચ્ચે સરકારે મંગળવારે 12 મે થી કેટલીક યાત્રિક ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર એવા લોકોને રાહત આપી છે જે lockdownના કારણે બીજા શહેરોમાં ફસાઈ ગયા હતા અથવા જે બીજા સ્થાનની યાત્રા કરવા માંગતા હતા. જોકે કેટલીક યાત્રી ટ્રેન ચલાવવાની જાહેરાત કરતા રેલવે સ્પષ્ટ કર્યું છે કે યાત્રા કરતા પહેલા તમામ યાત્રિકોનું સ્કેનીંગ થશે અને તેમને ફેસ માસ્ક લગાવવુ ફરજિયાત હશે.

ભારતીય રેલવે અનુસાર આ તમામ ટ્રેનો નવી દિલ્હીથી ચાલશે અને તેમાં એસી કોચ હશે. રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે ટિકિટનું બુકિંગ સોમવાર સાંજે ચાર વાગ્યાથી ભારતીય રેલવેની વેબસાઇટ દ્વારા કરી શકાશે. ટિકિટોનું બુકિંગ કરવા પહેલાં આ 5 ખાસ વાતોનું ધ્યાન યાત્રિકોએ રાખવું પડશે…

1.મુસાફરી કરતા પહેલા તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ થશે અને તેમને ફેસ માસ્ક લગાવવુ ફરજિયાત હશે. મુસાફરોના શરીરનું તાપમાન પણ તપાસવામાં આવશે. એવા મુસાફરો જે તાવ વગેરે સમસ્યાથી પીડિત છે તેઓ યાત્રા નહીં કરી શકે. આ ઉપરાંત જે યાત્રિકોમાં કોરોનાવાયરસના કોઇ પણ લક્ષણ દેખાશે તેઓને પણ યાત્રા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

2. યાત્રિકોને આ ધ્યાન રાખવાનું રહેશે કે બુકિંગ અત્યારે ફક્ત ભારતીય રેલવેની વેબસાઇટ દ્વારા થશે. અને ટિકિટ માટે સ્ટેશન પર કોઈપણ કાઉન્ટર ખોલવામાં આવશે નહીં.

3. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી ચાલુ થશે. હાલમાં નવી દિલ્હીથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નઈ, તિરુવનંતપુરમ્, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવીને જોડનાર ટ્રેનને ચલાવવામાં આવશે.

4. 12 મે એટલે કે કાલથી ટ્રેનો ચાલશે તેમાં ફક્ત એસી કોચ હશે. આ ટ્રેનમાં કોઈપણ વ્યક્તિ મુસાફરી કરી શકે છે અને તેની પાસે પ્રમાણિત ટિકિટ હોવી જરૂરી છે.

5. રેલ મંત્રાલય કહી દીધું છે કે કાઉન્ટર પરથી કોઈ પણ ટિકિટ આપવામાં આવશે નહીં અને ફક્ત યોગ્ય કન્ફર્મ ટિકિટ વાળા યાત્રિકોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "કાલથી શરુ થનારી ટ્રેનનું બુકિંગ શરુ- જાણો કેવી રીતે મળશે ટીકીટ અને શું હશે નિયમ"

Leave a comment

Your email address will not be published.


*