સુરત : અડાજણમાં BRTS બસની અડફેટે આધેડનું મોત

અડાજણ સ્ટાર બજાર નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા આધેડનું મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ…

અડાજણ સ્ટાર બજાર નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા આધેડનું મોત નીપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ ધોબી ચાલ પાસે રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગુણવંતભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) ગત બપોરે સ્ટાર બજાર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રસ્તો ઓળંગતા હતાં ત્યારે બેફામ દોડતી બીઆરટીએસ બસે અડફેટમાં લીધા હતા..

ગુણવંતભાઈને માથાના ભાગે તેમજ જમણા પગના ભાગે ગંભીર ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઈજાને પગલે તેમનું સારવાર દરમિયાન રાતે મોત નીપજ્યું હતું. અડાજણ પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *