પૃથ્વીની ઉત્પતિ જ્યારથી થઈ અને માનવીનું અસ્તિત્વ જ્યારથી છે ત્યાંરથી તેના અસ્તિત્વનું એક માત્ર કારણ સૂર્યદેવ રહ્યા છે. સૂર્ય ઉર્જા જ માનવને દરેક પ્રકારની શક્તિઓ અને શક્તિના સ્ત્રોત આપે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં અનેક માન્યતાઓમાં પણ સૂર્યદેવનું સ્થાન હંમેશાં ઊંચું રહે છે. સૂર્યદેવને જળ ચઢાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો તથા લાભો રહેલા છે. આ સિવાય સૂર્યદેવને જળ ચઢાવવાથી શરીરને પણ ફાયદો થાય છે.
વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબુત હોય તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી હોય છે. પોતાના દરેક કાર્યોમાં તેનો પ્રભાવ રહે છે અને એના કારણે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. આ બધા માટે કુંડળીમાં સૂર્ય દેવ નું મજબૂત હોવું જરૂરી છે. હવે જે લોકોને કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબુત નથી તેમને શું કરવું જોઈએ?તો જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહ ને કુંડળીમાં મજબૂત કરવા માટે સવારે સૂર્યોદયના સમયે જળ ચડાવવાનું કહેવામાં આવે છે. સૂર્યદેવને જળ ચઢાવવાની સાથે એક વાતનું ખાસ પાલન કરવું જરૂરી છે જો તમે સૂર્ય દેવ ને રાજી કરવા માંગો છો તો.
સૂર્યદેવને ચઢાવતા સમયે તમારે “ઓમ ધૂર્ણી: સૂર્ય આદિવ્યોમ” નામના મંત્રનો જપ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આ મંત્રથી શરીર પર હકારાત્મક પ્રભાવ પડે છે અને ઉર્જાનો સંચાર થાય છે. આ રીતે સૂર્ય દેવને જળ ચઢાવવાથી વ્યાપાર અને ધંધામાં વૃદ્ધિ થાય છે. ધનનો વ્યય થતો અટકે છે અને પૈસા ખોટી જગ્યાએ ફસતા અટકે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
Be the first to comment on "દરરોજ સવારે સૂર્યદેવને જળ ચડાવતા સમયે કરો આ મંત્રનો ઉચ્ચાર, હંમેશા કુબેર મહારાજની રહેશે કૃપા"