કોરોનાના વધતા કેસોને લઈને CM રૂપાણી સુરતમાં, જાણો પહેલા ક્યા પહોંચ્યા

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનન કેસમાં ઝડપથી વધરો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનન કેસમાં ઝડપથી વધરો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોચી ગયા છે. વિજય રૂપાણી આજે સવારે 10:30 કલાકે સુરત પહોચી ગયા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક કરશે. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે ત્યારબાદ 2:00 વાગ્યે ફરી અમદાવાદ જવા નીકળશે. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આજ રોજ સુરતમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાતે આવી ગયા છે. અહીં તેઓ સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતા અંગેનો ચિતાર મેળવશે.

સુરતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો

સુરતમાં વરાછા અને કતારગામમાં હીરા એકમોને ખુલી છુટ આપી દેતા પરિસ્થિતિ પણ ખુબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5967 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.કુલ 220 લોકો જાન ગુમાવી ચુક્યા છે. જ્યારે 3635 લોકો સાજા થઈ ઘરે ગયા છે.

સુરતમાં છેલ્લા એક મહિનાથી જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને આરોગ્ય વિભાગ અને સરકાર ચિંતા માં મુકાય છે. છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સચિવ સુરતમાં છે અને કોરોના સંક્રમણ અટકાવવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના ને કારણે દિવસે ને દિવસે સુરતની સ્થિતિ બગડતી જઈ રહી છે. એવામાં તાત્કાલિક કોઈ યોગ્ય આયોજન નહિં કરાય તો આ પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ વધારે ખરાબ થાય તેવી શક્યતા છે. જેથી આવતીકાલે સીએમ વિજય રૂપાણી, ડે સીએમ નીતિન પટેલ સાથે સુરત સમીક્ષા કરવા માટે આવી રહ્યા છે.

cm રૂપાણી આવ્યા સુરત

છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા છે. સુરતમાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે સાથે સાથે મૃતકોનો સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પગલે ગંભીરતાને જોતા મુખ્ય પ્રધાન પોતે સુરત આવી રહ્યા છે. અને મુખ્ય પ્રધાન સુરત આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ સુરતમાં ફરી વાર લોકડાઉન લાદી શકે છે.

ઉલ્લેખનીય છે કે સુરત કમિશ્નર દ્વારા સુરતના બે રેડ ઝોન બનેલા સુરતના કતારગામ અને વરાછા ઝોનના પણ અને ગલ્લા બંધ કરવાનો આદેશ આપી ચુક્યા છે.અને હીરાની ઓફીસ કારખાના પણ બંધ કરાવ્યા છે. સુરત મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5719 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 214 થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *