નીતિન પટેલ VS ધાનાણી: પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરતા સર્જાયો વિવાદ, કહી દીધું એવું કે…

ગુજરાત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં આવેલ સરદાર ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન…

ગુજરાત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં આવેલ સરદાર ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, તાલિબાનોને ખાલી કોંગ્રેસ જ યાદ કરી શકે. આજના દિવસે તાલિબાનને યાદ ન કરી શકાય પરેશભાઈનાં નિવેદનને હું વખોડી કાઢું છું. 9/11ના દિને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી.

નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તાલિબાન ગુજરાતની રાહ પર છે. ગુજરાતના “આધુનિક તાલિબાનો”એ તો 20 વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે?

ધાનાણીનાં આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઉપરાંત, આજે લોકાપર્ણ કરાયેલ સરદાર ધામ વિશે ધાનાણીએ જણાવ્યું હતું કે, સુંદર મજાની સંસ્થા ગુજરાત અને દેશને અર્પણ કરવામાં આવી છે. સમાજના 18 વર્ણોને તાંતણે જોડી કામ કરે એવી અપેક્ષા સાથે સિંહનું કાળજું રાખો અને સાચું બોલોને સંસ્થા વળગી રહે એ જરૂરી છે. સરદારધામ સરદારના સિદ્ધાંતોને આગળ ધપાવે એવી આશા.

આ ઉપરાંત સરદાર ધામ વિશે નીતિન પટેલે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ થતુ દેખાય છે અને સરદાર ધામે સમાજનો સાથ મેળવ્યો છે. પાટીદાર સમાજ ક્યારેય સંકુચિત નથી થયો અને અત્યારે સરદારધામમાં 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દરેક સમાજની તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે.

હાલ રાજ્યમાં પાટીદારોનાં અનામતનો મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જેમાં રાજ્યો ઓબીસી જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો ઓબીસીમાં જોડાવા પાત્ર હશે ત્યારે સર્વે થશે, જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરવામાં આવશે તો તેનો પણ નિયમ મુજબ સર્વે થશે. અત્યારે કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માંગ આવી નથી.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં ફોર્ડ કંપની દ્વારા પણ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે સફાઇ આપતા જણાવ્યું કે, ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નહીં કરે, ગુજરાતમાં એન્જીન બનાવવાનું કામ ચાલુ રાખશે. ફોર્ડનાં યુનિટમાં બીજી કોઈ કંપની પોતાનું કામ શરૂ કરી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *