કોરોના પોઝીટીવ આવ્યાનાં ચાર જ દિવસમાં જુવાનજોધ દીકરાનું મોત થતાં 3 વર્ષીય બાળકીએ ગુમાવી પિતાની છત્રછાયા

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનાં કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આની સાથે જ અનેક લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ…

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનાં કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આની સાથે જ અનેક લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે કે, જે હવે ધીમે-ધીમે ઘાતક બનવા તરફ જઈ રહી છે. અમદાવાદમાં આવેલ મણિનગર વિસ્તારમાં રહેતા માતા-પુત્રને એકસાથે કોરોના પોઝિટીવ આવ્યો હતો.

જેમાં 30 વર્ષિય યુવકનું મોત થતાં હસતાં-રમતાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જેને લીધે આજે તેની 3 વર્ષની દીકરી પિતાની છત્રછાયા ગુમાવી છે તેમજ પત્ની તથા માતા નિરાધાર થયા છે. ઘરમાં કમાવવા વાળો એકમાત્ર વ્યક્તિનું નિધન થતાં પરિવાર ખુબ જ આઘાતમાં સરી પડ્યો છે.

સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કર્યા :
મણિનગર વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય રિશીત ભાવસાર નામનો યુવક માતા, પત્ની તથા 3 વર્ષીય દીકરી સાથે રહેતો હતો. રિશીત ભાવસારના કૌટુંબિક ભાઈ દર્શીલ ભાવસાર જણાવે છે કે, શનિવારે રિશીતને તાવ તથા શરદી આવતાં તેને ઇસનપુર સ્તિથ ડોમમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

આ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી એને ઘરમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. હોમ ક્વોરન્ટાઇન થયાં પછી બીજા દિવસે તેઓને થોડી તબિયત લથડતાં સારવાર અર્થે 108માં SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. SVP હોસ્પિટલમાં દાખલ થયાના બીજા દિવસે તેમની તબિયત થોડી ખરાબ થતાં ICUમાં દાખલ કરાયા હતા.

પુત્રનું સારવાર દરમિયાન થયું મોત :
ત્યારબાદ તેઓની હાલત વધુ લથડતાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રાત્રે તેઓના પરિવારને કોલ કરી જાણ કરવામાં આવી હતી કે, તેઓની હાલત ખુબ ગંભીર છે તેમજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જેથી તમે સવારમાં આવીને મળજો. બુધવારે તેઓનું મોત થયું હતું.

વધુમાં તેમણે જણાવતાં કહ્યું હતું કે, રિશીતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સુગર વધુ થઈ ગયું હતું તેમજ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેઓની તબિયત વધુ લથડી હોવાથી તેઓને એક ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત થયું હતું.

હવે દીકરીની જવાબદારી તેની પત્ની પર આવી :
રિશીતની સાથે તેમના 60 વર્ષીય માતાને પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. રિશીતની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. રીશીત એકમાત્ર ઘરમાં પરિવારનો આધાર સ્તંભ હતો.

તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કોરોનાએ રિશીતનો ભોગ લેતાં આખો પરિવાર નિરાધાર બની ગયો છે. 3 વર્ષીય દીકરી, પત્ની તથા 60 વર્ષીય માતા આજે એક મોભી કહી શકાય તેને ખોઈ બેસતાં હવે દીકરીની જવાબદારી તેની પત્ની પર આવી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *