કોરોનાને પગલે AMC 14 દિવસો સુધી મફત દૂધ, શાકભાજી, કરિયાણું અને દવા પુરી પાડશે

રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ…

રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 492 લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઈન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 450 લોકોએ 14 દિવસનો સમય પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી 900થી વધુ લોકો વિદેશોમાંથી આવ્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 492 લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઈન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 450 લોકોએ 14 દિવસનો સમય પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી 900થી વધુ લોકો વિદેશોમાંથી આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર વ્યક્તિના પરિવારને શાકભાજી, ફળ અને તમામ જીવન જરુરી વસ્તુ ઘર સુધી પહોચાડાશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુ પુરી પડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે જનતા કર્ફ્યૂ હોવાથી 7થી રાત્રે 9 સુધી એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે.રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે. હવે સોમવારથી જાહેર રસ્તા પર થુંકવા પર 1 હજાર રૂપિયાનો દંડ ફટકારશે. કરિયાણાની દુકાનો અમદાવાદમાં ચાલુ રહેશે.

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *