સ્મશાનમાં સર્જાયો ચમત્કાર: ડોકટરોએ મૃત જાહેર કરેલ કોરોનાગ્રસ્ત મહિલા જીવતી ઘરે પહોંચી- જાણો સમગ્ર ઘટના

Published on Trishul News at 4:48 PM, Thu, 3 June 2021

Last modified on June 3rd, 2021 at 4:48 PM

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

આ કોરોનાની મહામારી વચ્ચે એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલી મહિલાના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ ઘરે પરત ફરતા પરિવારજનો ચોંકી ગયા હતા. આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશમાં બની છે. આ ઘટનામાં કોરોનાને કારણે ૭૫ વર્ષની એક મહિલાનું મોત થઇ ગયું હતું, આમ છતાં પણ તે ઘરે પહોચી હતી. જેને લીધે પરિવાર હેરાન થઇ ગયો હતો.

આંધ્રપ્રદેશની ગિરજાઅમ્મા નામની મહિલા કોરોના સંક્રમિત હતી જેને કારણે તેમને 12 મેના રોજ વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. જયારે તેમનો પતી 15 મેના રોજ તેમણે મળવા પહોચ્યા હતા પરંતુ મહિલા હોસ્પીટલમાં મળી ન હતી. હોસ્પીટલના સ્ટાફ દ્રારા કહેવામાં આવ્યું હતું કે, તેમને બીજા અન્ય વોર્ડમાં ખસેડવામાં આવેલ છે. ત્યારબાદ બીજા વોર્ડમાં તપાસ કરી તો ત્યાં પણ મહિલાની કોઈ જાણ ન થઇ.

હોસ્પીટલના સ્ટાફે પરિવારજનોને કોલ્ડરુમમાં તપાસ કરવા માટે જણાવ્યું હતું કે, ગિરજાઅમ્માના પતિ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોતાની પત્ની જેવો જ એક મૃતદેહ જોવા મળ્યો જેમને લઈને તેમણે સ્ટાફને કહ્યું કે આ મારી ઓ મૃતદેહ અહી પડ્યો છે. ત્યારબાદ તેમની પત્નીના નામનું મૃતક સર્ટીફીકેટ બનવવામાં આવ્યું હતું અને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગિરિજાઅમ્મા ઘરે પહોંચતા પરિવારજનો ચોંકી ગયા હતા. ત્યારે તેમના પતિને તો થોડા સમય સુધી વિશ્વાસ નહોતો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સ્મશાનમાં સર્જાયો ચમત્કાર: ડોકટરોએ મૃત જાહેર કરેલ કોરોનાગ્રસ્ત મહિલા જીવતી ઘરે પહોંચી- જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*