પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસને લઈને હાર્દિક પટેલની થશે ધરપકડ? જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત(Gujarat): વિરમગામ(Viramgam)ના ભાજપ(BJP)ના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન(PAAS)ના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ(Hardik Patel) વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે(Dhrangadhra Court) દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. મળતી…

ગુજરાત(Gujarat): વિરમગામ(Viramgam)ના ભાજપ(BJP)ના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન(PAAS)ના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ(Hardik Patel) વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે(Dhrangadhra Court) દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના હરીપર ગામે અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો, જેને કારણે કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.

મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના 2017ના કેસને લઈને કોર્ટ દ્વારા મહત્વનો અને મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવેતો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગરના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા માટે જામનગર કોટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું અને આ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજવામાં આવી હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ દાખલ થઇ હતી અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો.

25 ઓગસ્ટ 2015 ના રોજથી આક્રમક મોડમાં આવેલા આંદોલનને કારણે પહેલાં 9 અને ત્યારબાદ કુલ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પાટીદાર અનામતની માંગ સાથે આંદોલનની શરૂઆત કરનારો હાર્દિક પટેલ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયો છે અને ધારાસભ્ય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *