દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 58 લાખને વટાવી ગઈ, 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

શુક્રવારે ભારતમાં કોરોના કેસ 58 લાખને વટાવી ગયા છે, જ્યારે આમાંથી 47 લાખ લોકો પણ ચેપ મુક્ત બન્યા છે. દેશમાં દર્દીઓનો રીકવરી દર 81.74 ટકા…

શુક્રવારે ભારતમાં કોરોના કેસ 58 લાખને વટાવી ગયા છે, જ્યારે આમાંથી 47 લાખ લોકો પણ ચેપ મુક્ત બન્યા છે. દેશમાં દર્દીઓનો રીકવરી દર 81.74 ટકા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગ્યે જારી કરેલા તાજેતરના આંકડા મુજબ, એક દિવસમાં કોવિડ ના નવા 86,052 કેસ નોંધાયા પછી દેશમાં ચેપના કેસોની સંખ્યા વધીને 58,18,570 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 1,141 વધુ લોકોના મૃત્યુ પછી, મૃતકોની સંખ્યા વધીને 92,290 થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ દેશમાં 47,56,164 લોકો ચેપ મુક્ત બન્યા છે. કોવિડ -19 ના દર્દીઓનો મૃત્યુ દર 1.59 ટકા છે. તેમના કહેવા મુજબ, દેશમાં કોરોના વાયરસની સારવાર હેઠળ 9,70,116 દર્દીઓ છે, જે કુલ કેસોમાં 16.67 ટકા છે.

ભારતમાં કોવિડ -19 ના કેસો 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને વટાવી ગયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, દેશમાં 24 સપ્ટેમ્બર સુધીમાં કુલ 6,89,28,440 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુવારે 14,92,409 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *