ક્રૂરતાની પણ હદ હોય: પતિ-પત્ની સહિત 4 બાળકોની ગળા કાપીને કરપીણ હત્યા

Published on Trishul News at 1:27 PM, Fri, 29 November 2019

Last modified on November 29th, 2019 at 1:27 PM

દાહોદના સંજેલી માં એક જ પરિવારના 6 લોકોની હત્યા થી આજુબાજુના વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. હત્યારા કેટલા ક્રુર હશે કે તેમણે ચાર ચાર માસૂમ બાળકોને પણ ન છોડ્યા.

કેવી રીતે કરાઈ હત્યા

ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ છે. ચાર બાળકો અને પતી-પત્નીની એમ આખા પરિવારને મારી નાખવામાં આવ્યો છે. આદિવાસી પરિવારના 6 લોકોની હત્યાને પગલે દાહોદના સંજોલીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ક્યાની છે ઘટના?

દાહોદના સંજેલીના તરકડાના મહુડી વિસ્તારમાં આ સનસનાટી ભરી ઘટના બની હતી, પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતરી પડ્યો હતો અને હાલ તો એ તપાસમાં લાગી ગયો છે કે આટલી ક્રૂરતા પૂર્વક આખા પરિવારને પતાવી દેનારા હત્યારા કે હત્યારો કોણ હશે,તેના વિષે તપાસ ચાલી રહી છે.પ્રાથમિક તપાસ પરથી તો એવું લાગી રહ્યું છે કે હત્યા કરનારઓની સંખ્યા એક થી વધારે હશે.

શું લાગે છે પ્રાથમિક તપાસમા?

પરિવારના તમામ બાળકોને ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ત્યારે એમ થાય કે એવું તો શું હશે કે, અથવા હત્યારા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ક્રૂરતાની પણ હદ હોય: પતિ-પત્ની સહિત 4 બાળકોની ગળા કાપીને કરપીણ હત્યા"

Leave a comment

Your email address will not be published.


*