લક્ષ્મી ડાયમંડના શ્રી ચુનિભાઈ ગજેરાના ધર્મપત્ની શ્રીમતિ સુનિતાબેનનું દુખ:દ નિધન: સમગ્ર હીરા ઉદ્યોગ શોકાતુર

હાલમાં એક ખુબ દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશ -વિદેશમા નામના ધરાવતી હીરાની અગ્રણી કંપની લક્ષ્મી ડાયમંડના શ્રીચુનિભાઈ ગજેરાના ધર્મપત્ની શ્રીમતિ સુનિતાબેન ગજેરાનું આજરોજ…

હાલમાં એક ખુબ દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશ -વિદેશમા નામના ધરાવતી હીરાની અગ્રણી કંપની લક્ષ્મી ડાયમંડના શ્રીચુનિભાઈ ગજેરાના ધર્મપત્ની શ્રીમતિ સુનિતાબેન ગજેરાનું આજરોજ એટલે કે, 2 એપ્રિલના રોજ વહેલી સવારમાં ગુજરાતનાં સુરતમાં દુખ:દ અવસાન થયુ છે.

આ સમાચારને કારણે ગજેરા પરિવાર સહીત સમગ્ર હીરા ઉદ્યોગ શોકાતુર બન્યો છે. શ્રીમતિ સુનિતાબેનના અવસાનથી દીકરી કીંજલ બેન તથા 2 દીકરાઓ નીતીનભાઈ તથા મિતેશભાઈએ પ્રેમાળ માતાની હુંફ ગુમાવી છે. 3 સંતાનોની માતા સુનિતાબેન પરોપકારી સ્વભાવના હતા.

પરિવાર પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા સુનિતાબેને તેમના ત્રણેય સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કર્યુ છે. દીકરી કીંજલબેનની સમાજ-સેવાની સુવાસ ચારેકોર ફેલાયેલી છે. જમણા હાથે સમાજસેવા કરે તો ડાબા હાથને પણ જાણ ન થાય એ રીતે દીકરી કીંજલબેને હોસ્પીટલના બિછાને પડેલા તેમજ આર્થિક સ્થિતિ ધરાવતા હજારો પરિવારોને સામેથી હોસ્પીટલમાં જઈને મદદ કરી છે.

સમાજસેવા માટે સંતાનોને પ્રેરણા આપનાર તેમજ સાક્ષાત પરોપકારની મુર્તિ સમાન સુનિતાબેનના દુઃખદ અવસાનથી સમગ્ર સમાજને કદી ન પુરાઈ શકે એવી ખોટ પડી છે. આની સાથે જ સમગ્ર શહેરીજનોમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *