સુરતમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર દિપીકાબેન ભરતભાઈ ધારીયાના અંગદાનથી એકસાથે 3 લોકોને મળ્યું નવજીવન

સુરત(ગુજરાત): હાલમાં ફરીવાર એક અંગદાન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી વધુ અંગદાન થતાં માનવતાની મહેક પ્રસરી છે. જાણવા મળ્યું છે કે,…

સુરત(ગુજરાત): હાલમાં ફરીવાર એક અંગદાન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી વધુ અંગદાન થતાં માનવતાની મહેક પ્રસરી છે. જાણવા મળ્યું છે કે, ખંભાતી ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ દિપીકાબેન ભરતભાઈ ધારીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. કિડનીની બિમારીથી પીડાતા અને ડાયાલીસીસ કરાવતા દિપીકાબેન બ્રેઈનડેડ થતા પરિવારે તેમના અંગોનું દાન કરી તેમના જેવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ અંગે દિપીકાબેનના પતિએ જણાવ્યું કે, મારા પત્નીની બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી છેલ્લા બે વર્ષથી તે ડાયાલીસીસ ઉપર હતી. અઠવાડિયામાં બે વખત તેનું ડાયાલીસીસ કરાવવામાં આવતું હતું. ડાયાલીસીસની પીડા અમે સારી રીતે સમજીએ છીએ. તેમજ બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરીવારજનોને પણ શું પીડા થતી હશે તે અમે સારી રીતે સમજી શકીએ છીએ. આથી આજે જયારે મારી પત્ની બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપો.

જાણવા મળ્યું છે કે, ગયા રવિવારે સવારે 9 વાગ્યે દિપીકાબેનને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતાં. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યાં તેમનું હૃદય બંધ થઇ જતા CPR આપીને હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમની તબિયત વધુ બગડતા નિદાન માટે સિટી સ્કેન કરાવ્યું હતું જેમાં મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું.

ત્યારબાદ, ગુરૂવાર તારીખ 29 જુલાઈના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુરોલોજીસ્ટ ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોવીડ 19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ દરમિયાન છેલ્લા બે મહિનામાં સાત બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 12 કિડની, 3 હૃદય, 2 ફેફસાં, 10 ચક્ષુઓ, 7 લિવર અને સહીત કુલ 34 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 33 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *